સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


પ્લાસ્ટરિંગના હેતુ અને વિવિધ પ્રકારના પ્લાસ્ટરિંગને સમજો

પ્રાચીન સભ્યતાથી માંડીને આધુનિક જમાનામાં થતાં બાંધકામ સુધી પ્લાસ્ટરિંગનું મહત્વ જળવાઈ રહ્યું છે, સમય અને ટેકનોલોજીની સાથે તેનો વિકાસ થતો રહ્યો છે. વાત જ્યારે દિવાલો અને સીલિંગ પર મુલાલય, પૉલિશ્ડ અને દેખાવમાં સુંદર લાગે તેવી સપાટીની રચના કરવાની થાય ત્યારે પ્લાસ્ટરિંગને ઘરનું નિર્માણ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Share:


પ્લાસ્ટરિંગ એ બધી જ કામગીરીમાં એક જ પ્રકારે ઉપયોગમાં લેવામાં આવતું નથી, તે હેતુ, ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અને ઇચ્છિત ફિનિશ પર આધાર રાખીને અલગ-અલગ હોઈ શકે છે. પ્લાસ્ટરિંગ ટેકનિકની પસંદગી તમારી જગ્યાના એકંદર દેખાવ અને અનુભૂતિને ખૂબ જ પ્રભાવિત કરી શકે છે. જો તમે તમારા ઘરની અંદરની દિવાલોને નવી બનાવવા માંગતા ઘરમાલિક હો, નવું બાંધકામ કરવા માંગતા બિલ્ડર હો કે પછી બાંધકામ અને ડીઝાઇનના ક્ષેત્રમાં રસ ધરાવતી વ્યક્તિ હો, આ માર્ગદર્શિકા તમને પ્લાસ્ટરિંગની વિવિધ પદ્ધતિઓ અંગે ઊંડી જાણકારી પૂરી પાડશે. પરંપરાગતથી માંડીને સમકાલીન સુધી અમે પ્રત્યેક પ્રકારની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, ફાયદા અને ઉપયોગોને અહીં ઉજાગર કરીશું.



પ્લાસ્ટરિંગ એટલે શું?

પ્લાસ્ટરિંગ એ બાંધકામ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી સદીઓ જૂની ટેકનિક છે, જેમાં દિવાલ, સીલિંગ કે પાર્ટિશનની ખુલ્લી સપાટી પર ચૂના કે સીમેન્ટ, રેતી અને પાણીના મિશ્રણ એવા પ્લાસ્ટરનું પાતળું આવરણ ચઢાવવામાં આવે છે. પ્લાસ્ટરિંગ કરવાનો પ્રાથમિક હેતુ આ સપાટીઓને મુલાયમ અને ખામીરહિત ફિનિશ પૂરી પાડવાનો, ઇંટોના કામ, કૉંક્રીટ અને અન્ય સામગ્રીઓને ઢાંકવાનો છે. તે સંપૂર્ણપણે એક સૌંદર્યલક્ષી બાબત લાગતી હોવા છતાં તે દિવાલ અને સીલિંગની સુરક્ષા, ટકાઉપણા, લેવલિંગ અને ગોઠવણના સંદર્ભમાં બાંધકામમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે.


પ્લાસ્ટરિંગના વિવિધ પ્રકારો



પ્લાસ્ટરના ઘણાં બધાં પ્રકારો છે અને તે વિવિધ જરૂરિયાતો, પર્યાવરણની પરિસ્થિતિઓ અને સૌંદર્ય સંબંધિત પસંદગીઓને સંતોષે છે. તો ચાલો, પ્લાસ્ટરિંગના કેટલાક સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પ્રકારો વિશે જાણકારી મેળવીએ.

 

 

1. સીમેન્ટ પ્લાસ્ટરિંગ



સીમેન્ટ પ્લાસ્ટરિંગને ઘણીવાર સીમેન્ટ રેન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સીમેન્ટ, રેતી અને પાણીનું સંયોજન કરીને બનાવવામાં આવેલા મિશ્રણને લગાવવામાં આવે છે. આ ટેકનિકથી મજબૂત અને ટકાઉ સપાટી પ્રાપ્ત થાય છે, જે હવામાનની અસર અને પર્યાવરણની સ્થિતિની સામે પ્રતિરોધ પૂરો પાડે છે. તે વિવિધ પ્રકારના તત્વોની સામે રક્ષણ મેળવવા માટે સામાન્ય રીતે ઘરની બહાર ઉપયોગમાં લેવામાં આવે છે અને તેની બહુઉપયોગીતાને લીધે વિવિધ ટેક્સચર અને ફિનિશ મેળવી શકાય છે.

 

 

2. જીપ્સમ પ્લાસ્ટરિંગ



પ્લાસ્ટર ઑફ પેરિસ તરીકે પણ ઓળખાતું જીપ્સમ પ્લાસ્ટરિંગ ઘરની અંદરની સપાટીઓ માટેનો લોકપ્રિય વિકલ્પ છે. જીપ્સમ એ કુદરતી રીતે ઉદ્ભવતું ખનીજ છે, જેને જ્યારે પાણીની સાથે મિશ્રિત કરવામાં આવે ત્યારે મુલાયમ પેસ્ટની રચના કરે છે, જે ઝડપથી સુકાઈ જાય છે અને સ્વચ્છ, પૉલિશ કરેલો દેખાવ પૂરો પાડે છે. આ પ્રકારનું પ્લાસ્ટરિંગ તેના આગ-પ્રતિરોધી ગુણો માટે વખણાય છે અને ઘણીવાર તેનો ઉપયોગ જ્યાં સ્વચ્છતા અને ચોખ્ખાઈને પ્રાથમિકતા આપવામાં આવતી હોય, તેવી જગ્યાઓમાં થાય છે.

 

 

3. મડ પ્લાસ્ટરિંગ



સદીઓ જૂની ટેકનિક મડ પ્લાસ્ટરિંગમાં સ્થાનિક રીતે મેળવવામાં આવતાં ગારાને ઘાસ કે છાણ જેવી અન્ય કુદરતી સામગ્રીઓની સાથે મિશ્રિત કરવામાં આવે છે. તે એક ઇકો-ફ્રેન્ડલી અભિગમ છે, જે ગામઠી અને માટી જેવી ફિનિશની રચના કરે છે તથા ઉત્તમ થર્મલ ઇન્સ્યુલેશન અને બ્રીધેબિલિટી પૂરી પાડે છે, જે તેને બાંધકામની પરંપરાગત અને સસ્ટેનેબલ એમ બંને પ્રેક્ટિસ માટે અનુકૂળ બનાવે છે.

 

 

4. લાઇમ પ્લાસ્ટરિંગ



લાઇમ પ્લાસ્ટરિંગમાં બાઇન્ડિંગ માટેની પ્રાથમિક સામગ્રી તરીકે ચૂનાનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે અને તે તેની બ્રીધેબિલિટી અને સ્થિતિસ્થાપકતા માટે જાણીતો છે, જે માળખાંને બદલાતી સ્થિતિ સાથે અનુકૂલન સાધવામાં મદદરૂપ થાય છે. લાઇમ પ્લાસ્ટરનો ઉપયોગ ઘણીવાર ઐતિહાસિક બિલ્ડિંગોમાં અને રીસ્ટોરેશન પ્રોજેક્ટ્સમાં થયેલો જોઈ શકાય છે, જ્યાં માળખાંની અધિકૃતતાની જાળવણી કરવાને પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે.

 

 

5. વૉટરપ્રૂફ પ્લાસ્ટર

તેના નામ મુજબ જ વૉટરપ્રૂફ પ્લાસ્ટરની રચના પાણી અને ભેજને ખાળવા માટે કરવામાં આવી હોય છે. તે બાથરૂમ અને ભોંયરા જેવા ભેજનું જોખમ ધરાવતા વિસ્તારો માટે ઉત્તમ વિકલ્પ છે. આ પ્રકારના પ્લાસ્ટરિંગમાં એડિટિવ્સનો ઉપયોગ થાય છે, જે પાણી સામેનો પ્રતિરોધ વધારે છે, જે તેને પાણીથી થતાં નુકસાન અને ફૂગના વિકાસને અટકાવવા માટે એક અસરકારક સોલ્યુશન બનાવે છે.

 

 

6. સ્ટુકો પ્લાસ્ટર



પ્લાસ્ટરિંગ કરવાનો હેતુ



વિવિધ પ્રકારના પ્લાસ્ટરિંગ બાંધકામમાં વિવિધ પ્રકારના હેતુઓ સર કરે છે, જે તમામ માળખાંની એકંદર કાર્યક્ષમતા, સુંદરતા અને લાંબી આવરદામાં યોગદાન આપે છે. તો ચાલો, બાંધકામની પ્રક્રિયામાં પ્લાસ્ટરિંગ શા માટે એક જરૂરી સ્ટેપ છે, તેની પાછળના મુખ્ય કારણો વિશે જાણકારી મેળવીએ. 

 

1. ચણતરકામનું ટકાઉપણું વધારે છે

પ્લાસ્ટરિંગ ચણતરકામ અને બિલ્ડિંગની અન્ય સામગ્રીઓ માટે સુરક્ષાકવચ તરીકે કામ કરે છે. તે બાહ્ય પ્રભાવ, આબોહવા અને તાપમાનમાં આવતાં ફેરફારો જેવા બાહ્ય બળો સામે પ્રતિરોધને વધારે છે. ચણતરકામની માળખાંગત અખંડિતતાને મજબૂત બનાવીને પ્લાસ્ટરિંગ સમગ્ર બાંધકામની આવરદા વધારે છે.

 

2. રંગકામ માટે સાદી સપાટી પૂરી પાડે છે

પ્લાસ્ટરિંગની પ્રાથમિક કામગીરીઓમાંથી એક મુલાયમ અને સમતળ સપાટી પૂરી પાડવાની છે, જે રંગકામ અને અન્ય સુશોભનાત્મક ટ્રીટમેન્ટ માટે આદર્શ હોય છે. પ્લાસ્ટરિંગ કર્યા વગર અસમતળ સપાટી અને વિવિધ પ્રકારના દોષો વધુ દેખાય છે, જેના પરિણામે ખરાબ ફિનિશ મળે છે.

 

3. વાતાવરણના હુમલાની સામે રક્ષણ પૂરું પાડે છે

જો બિલ્ડિંગની સામગ્રીની સપાટી વરસાદ, પવન અને સૂર્યપ્રકાશ જેવા બાહ્ય તત્વોના સંસર્ગમાં આવે તો તે ધીમે-ધીમે ખરાબ થઈ જાય છે. પ્લાસ્ટર એક અવરોધની રચના કરે છે, જે અંતર્નિહિત માળખાંનું વાતાવરણના હુમલાઓ સામે રક્ષણ કરે છે, જે લાંબા સમય સુધી તેની ગુણવત્તા અને દેખાવને જાળવી રાખે છે.

 

4. ભેજ સામે રક્ષણ પૂરું પાડે છે

ભેજ પ્રવેશવાથી વિવિધ પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે, ફૂગનો  વિકાસ, સામગ્રીઓ ખરાબ થઈ જવી અને માળખું અસ્થિર થઈ જવું. પ્લાસ્ટરિંગને ખાસ કરીને જ્યારે વૉટરપ્રૂફિંગની ટેકનિકની સાથે સંયોજિત કરવામાં આવે ત્યારે તે ભેજને દિવાલ અને સીલિંગમાં પ્રવેશતો અટકાવે છે અને માળખાંની અખંડિતતાનું રક્ષણ કરે છે.

 

5. વધુ સારી સુંદરતા પૂરી પાડે છે

પ્લાસ્ટરિંગ ઘરની અંદર અને બહારની સુંદરતાને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે બરછટ અને અસમતળ સપાટીઓને પૉલિશ કરેલી સપાટીમાં ફેરવી નાંખે છે, જેની પર વિવિધ પ્રકારના રંગોથી માંડીને મનોરમ્ય વૉલપેપર્સ લગાવી શકાય છે.



આપણે જોયું તેમ, વિવિધ પ્રકારના પ્લાસ્ટરિંગને પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતો અને પસંદગીઓને પૂરી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. પ્લાસ્ટરિંગની પ્રક્રિયા અંગેની તમારી સમજણને હજુ વધારવા માટે તમને યૂટ્યુબ પર ‘દિવાલ પર પ્લાસ્ટર કેવી રીતે લગાવવું’ તે અંગેનો માહિતપ્રદ વીડિયો જોવાની ભલામણ કરવામાં આવે છે. આમ કરવાથી તમે બાંધકામના આધુનિક પ્રોજેક્ટ્સમાં પણ ઉપયોગી સાબિત થતી જરૂરી ટેકનિકો અંગેનું વધુ સારું પરિપ્રેક્ષ્ય મેળવી શકશો.



વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. શું લાઇમ પ્લાસ્ટરમાં તિરાડો પડી જાય છે?

લાઇમ પ્લાસ્ટર સૂકાઈ જવાને કારણે સંકોચન થવાથી તેમાં ક્યારેક-ક્યારેક વાળ જેટલી બારિક તિરાડો પડી જાય છે. જોકે, આવી તિરાડો મોટેભાગે ઉપરછલ્લી હોય છે અને તેને સરળતાથી રીપેર કરી શકાય છે.

 

2. પ્લાસ્ટરિંગ કર્યા પછીનો સ્ટેપ શું હોય છે?

પ્લાસ્ટરિંગ કર્યા બાદ દિવાલોને સંપૂર્ણપણે સૂકાવા દેવામાં આવે છે. એકવાર તે સૂકાઈ જાય તે પછી તેને આગામી સ્ટેપ માટે તૈયાર કરી શકાય છે, જે સ્ટેપ સેન્ડિંગ કરવાનો છે, જેનો હેતુ રંગકામ કે વૉલપેપર લગાવતા પહેલાં મુલાયમ ફિનિશની ખાતરી કરવાનો છે.

 

3. પ્લાસ્ટરિંગ બાદ ક્યોરિંગ ક્યારે શરૂ કરવું જોઇએ?

ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટર પર આધાર રાખીને ક્યોરિંગના દિવસો અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે સીમેન્ટ પ્લાસ્ટર માટે પ્લાસ્ટરિંગ કર્યાના બીજા જ દિવસથી ક્યોરિંગ શરૂ કરી શકાય છે અને તેને ઓછામાં ઓછા 7 દિવસ માટે ચાલું રાખી શકાય છે.

 

4. શું પ્લાસ્ટરિંગ કર્યા બાદ દિવાલ પર રંગ લગાવી શકાય?

હા, તમે પ્લાસ્ટરિંગ કર્યા બાદ દિવાલોને રંગ લગાવી શકો છો પરંતુ પ્લાસ્ટર સંપૂર્ણપણે સુકાઈ ગયું હોય તેની ખાતરી કરી લેવી જરૂરી છે. એકવાર પ્લાસ્ટર સંપૂર્ણપણે સુકાઈ જાય તે પછી પ્લાસ્ટરને સીલબંધ કરવા અને રંગને દિવાલની અંદર અવશોષાઈ જતો અટકાવવા માટે પ્રાઇમિંગ પેઇન્ટ લગાવવાની ભલામણ કરવામાં આવે છે.

 

5. પ્લાસ્ટરિંગના મિશ્રણનો ગુણોત્તર શું હોય છે?

ઘરની અંદરની દિવાલો માટે પ્લાસ્ટરિંગના મિશ્રણનો સર્વસામાન્ય ગુણોત્તર સીમેન્ટનો 1 હિસ્સો અને રેતીના 6 હિસ્સા હોય છે, જ્યારે ઘરની બહારની દિવાલો માટે કે ભેજના સંપર્કમાં રહેતી સપાટીઓ માટે સીમેન્ટનો 1 હિસ્સો અને રેતીના 4 હિસ્સા હોય છે. જોકે, ચોક્કસ જરૂરિયાતો પર આધાર રાખીને તે બદલાઈ શકે છે.


સંબંધિત લેખો





ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....