Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
ઘરમાં હકારાત્મક ઊર્જા જાળવી રાખવા માટે સીડી માટેના વાસ્તુમાં સીડીની ગોઠવણ નૈઋત્ય, પશ્ચિમ કે દક્ષિણમાં રાખવાની ભલામણ કરવામાં આવે છે.
સીડીનું નિર્માણ કરવા માટે કૉંક્રીટ જેવી મજબૂત સામગ્રીનો ઉપયોગ કરો, જે ટકાઉ હોય છે અને વાસ્તુને અનુરૂપ હોય છે.
સીડીમાં યોગ્ય હવાઉજાસ આવતો હોય તેની ખાતરી કરો. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર રહે છે અને તંદુરસ્ત માહોલને પ્રોત્સાહન મળે છે.
વાસ્તુ મુજબ, સીડીના પગથિયા એકી સંખ્યામાં હોવા જોઇએ તથા સારા ભાગ્ય અને હકારાત્મકતાની ખાતરી કરવા માટે આ સંખ્યાની પાછળ શૂન્ય ના આવવો જોઇએ.
સીડી માટેના વાસ્તુના નિયમોનું પાલન કરવું એ તમારા ઘરમાં હકારાત્મક અને સુમેળભર્યા માહોલને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે સીડીની ગોઠવણ વાસ્તુ મુજબ કરવામાં આવે છે ત્યારે તે ઇમારતની ઊર્જા ગતિશીલતાને મેનેજ કરવામાં મદદરૂપ થાય છે, જે તેમાં રહેનારા લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં યોગદાન આપે છે.
સીડીને યોગ્ય દિશામાં ગોઠવવાથી તે ઇશાન ખૂણામાંથી આવતો હકારાત્મક ઊર્જાનો પ્રવાહ અવરોધાય નહીં તેની ખાતરી કરે છે, જે સૌથી શુભ દિશા માનવામાં આવે છે. સીડીના વાસ્તુની દિશા નાણાકીય સ્થિરતા અને માનસિક શાંતિ પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે. વધુમાં વાસ્તુ મુજબ તેની યોગ્ય ગોઠવણ કરવાથી તે ઘરમાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય અને સફળતા પર નકારાત્મક પ્રભાવ પાડી શકતાં માળખાકીય અસંતુલનોને રોકી શકે છે. આમ, સીડી માટેના વાસ્તુની દિશાઓના સિદ્ધાંતોના ઘટકોને સામેલ કરવાનો અર્થ છે, પરંપરાઓનું પાલન કરવું તથા ઇમારતના આર્કિટેક્ચરમાં સ્માર્ટ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપનારી ડીઝાઇનની પસંદગી કરવી.
સીડી પૂર્વમાંથી પશ્ચિમ તરફ અથવા તો ઉત્તરમાંથી દક્ષિણ તરફ જતી હોવી જોઇએ. તેની આ દિશા સૂર્યોદયની સાથે સુસંગત છે અને સીડી હકારાત્મક ઊર્જાનો અસરકારક રીતે ઉપયોગ કરે તેની ખાતરી કરે છે.
તમારી સીડીને ઘરની પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ગોઠવો. આ દિશાઓ શક્તિ અને સ્થિરતા માટે શુભ માનવામાં આવે છે તથા ઘરની સમૃદ્ધિ પર નકારાત્મક પ્રભાવોને ઘટાડે છે.
સ્પાઇરલ કે સર્પાકાર સીડીઓ નકારાત્મક ઊર્જાના સંચારને વધારતી હોવાનું માનવામાં આવે છે. તેના બદલે તમે હકારાત્મક ઊર્જાઓના નિર્બાધ પ્રવાહ માટે સીધી ઉપરની તરફ જતી સીડી પસંદ કરી શકો છો.
સીડીના પગથિયા એકી સંખ્યામાં હોય અને આ સંખ્યાની પાછળ શૂન્ય ના આવતો હોય તેની ખાતરી કરો. તેનાથી સારું ભાગ્ય આકર્ષાતું હોવાનું અને હકારાત્મક ઊર્જાની સાઇકલ જળવાતી હોવાનું માનવામાં આવે છે.
ક્યારેય સીડીને ઘરના કેન્દ્ર (બ્રહ્મસ્થાન)માં ગોઠવશો નહીં, કારણ કે, તેનાથી બ્રહ્માંડીય ઊર્જાઓના પ્રવાહ વિક્ષેપિત થઈ શકે છે. ઘણીવાર નૈઋત્યને શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે.
સમગ્ર ઘરમાં લાભદાયી ઊર્જાઓનો પ્રવાહ અવરોધાય નહીં તે માટે બ્રહ્મસ્થાન તરીકે ઓળખાતા ઘરના કેન્દ્રિય હિસ્સામાં સીડી જેવા કોઈ પણ ભારે માળખાં રાખવા જોઇએ નહીં.
ઘરની બહાર સીડી બનાવવા માટે અગ્નિ અને વાયવ્ય દિશાઓ યોગ્ય ગણવામાં આવે છે. હકારાત્મક ઊર્જાના પ્રવાહને વધારવા માટે આ સીડીઓ આદર્શ રીતે ઇશાન ખૂણામાં ઉપર જતી હોવી જોઇએ.
સ્ટોરેજ માટે સીડીની નીચેની જગ્યાનો ઉપયોગ કરી શકાય છે પરંતુ તેમાં ચીજોને અવ્યવસ્થિત રીતે ના મૂકવી જોઇએ અને ઊર્જાનો પ્રવાહ અવરોધાય નહીં તેની ખાતરી કરવા આ જગ્યામાં વ્યવસ્થા જાળવવી જોઇએ.
આછાં રંગો વધુ પ્રકાશ અને હકારાત્મક ઊર્જાને આકર્ષતા હોવાથી તેના માટે આછાં રંગોની ભલામણ કરવામાં આવે છે, જે મોકળાશ અને શાંતિની ભાવના પેદા કરે છે.
સીડીની સામે સીધો કોઈ દરવાજો આવતો ના હોય તેની ખાતરી કરો, ખાસ કરીને ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર. આમ કરવાથી ઘરમાંથી હકારાત્મક ઊર્જા બહાર જતી રહે છે, જે તેમાં રહેતા લોકોની સુખાકારીને પ્રભાવિત કરે છે.
સલામતી અને હકારાત્મક ઊર્જાના પ્રવાહની ખાતરી કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં સીડીના કઠેડાની યોગ્ય રીતે રચવા કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. કઠેડો સીડી પર તમે જ્યારે ચઢી રહ્યાં હો ત્યારે તમારી જમણી બાજુએ આવતો હોવો જોઇએ, જે હકારાત્મક ઊર્જાની કુદરતી ગતિશીલતાની સાથે સુસંગત ગણાય છે. સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરવા તે મજબૂત અને સળંગ હોવો જોઇએ, આદર્શ રીતે લાકડાં કે ધાતુમાંથી બનાવેલો હોવો જોઇએ. કઠેડો તૂટેલો ના હોવો જોઇએ કે તેની જાળવણી સારી રીતે થતી હોવી જોઇએ, કારણ કે, આમ ના હોવાથી ઊર્જાના પ્રવાહમાં વિક્ષેપ પડે છે અને સલામતી પર જોખમ પેદા થઈ શકે છે. તમામ વયના લોકો સરળતાથી કઠેડો પકડીને સીડી ચઢી શકે તે માટે તેની ઊંચાઈ પણ યોગ્ય હોવી જોઇએ, જે કઠેડાની ઉપયોગિતા અને સલામતીને વધારે છે.
સીડીની રચનામાં વાસ્તુશાસ્ત્રાના નિયમોનું પાલન કરવાથી હકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે તથા સુખાકારી અને સમૃદ્ધિને પ્રોત્સાહન મળે છે. સંવાદિતા અને સંતુલનને પ્રોત્સાહન આપવા માટે સીડીની યોગ્ય ગોઠવણ અને દિશા મહત્વપૂર્ણ છે. સીડીની યોગ્ય દિશા તથા કઠેડા જેવા તેના ઘટકોની વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલી ડીઝાઇન સહિત આ સિદ્ધાંતોનું પાલન કરવાથી વધુ સલામત અને વધુ શુભ માહોલની રચના થાય છે. વાસ્તુની આ માર્ગદર્શિકાને સમજીને તેને લાગુ કરવાથી નવી કે ફરીથી બનાવેલી સીડીની ડીઝાઇનને નોંધપાત્ર રીતે સુધારી શકાય છે.
શ્રેષ્ઠ વાસ્તુ માટે સીડી સીધી અથવા થોડી વળાંકવાળી હોવી જોઇએ, જોકે, તે સ્પાઇરલ (સર્પાકાર) તો ના જ હોવી જોઇએ. સીધી સીડી ઊર્જાના સીધા પ્રવાહને પ્રોત્સાહન આપે છે અને તેની પર ચઢવું-ઉતરવું પણ સરળ હોય છે, જે ઘરમાં સંતુલન અને સંવાદિતા જાળવી રાખે છે.
વાસ્તુના સિદ્ધાંતો મુજબ, સીડીની નીચે પૂજા રૂમ બનાવવાની ભલામણ કરવામાં આવતી નથી. આ ભાગ સતત ભારણ હેઠળ રહેતો હોવાનું માનવામાં આવે છે, જેનાથી શાંતિ અને દૈવી જોડાણ માટેની આ જગ્યામાં નકારાત્મક માહોલ પેદા થઈ શકે છે.
વાસ્તુમાં સીડીના પગથિયાંની સંખ્યા એકી હોવી જોઇએ આ સંખ્યાની પાછળ શૂન્ય ના આવતો હોવો જોઇએ, કારણ કે 9, 11, 15 કે 21 જેવા નંબરોને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે હકારાત્મક ઊર્જાને આકર્ષતા હોવાનું મનાય છે.
ના, વાસ્તુમાં મુખ્ય પ્રવેશદ્વારની બિલકુલ સામે આવેલી સીડીને અશુભ ગણવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે, આ પ્રકારની સ્થિતિથી ઊર્જા ઘરની બહાર જતી રહે છે, જેના કારણે તેમાં રહેતા લોકોએ નાણાકીય અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
વાસ્તુ મુજબ સીડી આદર્શ રીતે નૈઋત્ય, પશ્ચિમ કે દક્ષિણ દિશા જેવા નકારાત્મક હિસ્સાઓમાં હોવી જોઇએ, જેથી કરીને તે ઇશાન ખૂણામાંથી આવતી હકારાત્મક ઊર્જાની સાથે હસ્તક્ષેપ ના કરે તેની ખાતરી કરી શકાય છે. આ પ્રકારની ગોઠવણ સમગ્ર ઘરમાં ઊર્જાના સુમેળભર્યા પ્રવાહને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.