વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



તમારા ઘર માટે સીડીના વાસ્તુના રહસ્યો

સંવાદિતા અને હકારાત્મક ઊર્જાના પ્રવાહને વધારવા માટે તમારા ઘરની સીડીનું નિર્માણ વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ કેવી રીતે કરવું તે જાણો. સરળતાથી પાલન કરી શકાય તેવી અમારી આ માર્ગદર્શિકા તમને આદર્શ દિશા અને ગોઠવણ અંગે જાણકારી પૂરી પાડશે.

Share:


મુખ્ય વિગતો

 

  • ઘરમાં હકારાત્મક ઊર્જા જાળવી રાખવા માટે સીડી માટેના વાસ્તુમાં સીડીની ગોઠવણ નૈઋત્ય, પશ્ચિમ કે દક્ષિણમાં રાખવાની ભલામણ કરવામાં આવે છે.

     

  • સીડીનું નિર્માણ કરવા માટે કૉંક્રીટ જેવી મજબૂત સામગ્રીનો ઉપયોગ કરો, જે ટકાઉ હોય છે અને વાસ્તુને અનુરૂપ હોય છે.

     

  • સીડીમાં યોગ્ય હવાઉજાસ આવતો હોય તેની ખાતરી કરો. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર રહે છે અને તંદુરસ્ત માહોલને પ્રોત્સાહન મળે છે.

     

  • વાસ્તુ મુજબ, સીડીના પગથિયા એકી સંખ્યામાં હોવા જોઇએ તથા સારા ભાગ્ય અને હકારાત્મકતાની ખાતરી કરવા માટે આ સંખ્યાની પાછળ શૂન્ય ના આવવો જોઇએ.



ઘરમાં સંતુલન અને હકારાત્મક ઊર્જાને જાળવી રાખવા માટે સીડીનું વાસ્તુ મહત્વપૂર્ણ છે. સ્થાપત્ય અને સ્થાનનું પ્રાચીન ભારતીય વિજ્ઞાન વાસ્તુશાસ્ત્ર સુખાકારીને વધારવા માટે સીડીની યોગ્ય ગોઠવણ અને દિશા અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. તેમાં સૂચવવામાં આવ્યું છે કે, સીડી ઘરના ઇશાન ખૂણામાં ના હોવી જોઇએ, કારણ કે તેનાથી હકારાત્મક ઊર્જા અવરોધાઈ જાય છે. સીડી માટેના વાસ્તુ મુજબ તેની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ અથવા તો પૂર્વથી પશ્ચિમ તરફ હોવી જોઇએ. સીડીની યોગ્ય ગોઠવણ ઊર્જાને પ્રભાવશાળી રીતે પ્રવાહિત કરવામાં મદદરૂપ થાય છે અને ઘરની ઊર્જાના એકંદર પ્રવાહને સપોર્ટ પૂરો પાડે છે. સીડી માટેના વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો આ પરિચય તમને રહેવા માટે સુમેળભર્યા અને સમૃદ્ધ માહોલને પ્રોત્સાહન આપવા માટે ઘરમાં સીડીની ગોઠવણ અને રચના કેવી રીતે કરવી તે સમજવામાં મદદરૂપ થશે.

 

 


સીડી માટેના વાસ્તુના નિયમોનું પાલન કરવું શા માટે મહત્વપૂર્ણ છે?



સીડી માટેના વાસ્તુના નિયમોનું પાલન કરવું એ તમારા ઘરમાં હકારાત્મક અને સુમેળભર્યા માહોલને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે સીડીની ગોઠવણ વાસ્તુ મુજબ કરવામાં આવે છે ત્યારે તે ઇમારતની ઊર્જા ગતિશીલતાને મેનેજ કરવામાં મદદરૂપ થાય છે, જે તેમાં રહેનારા લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં યોગદાન આપે છે.

 

સીડીને યોગ્ય દિશામાં ગોઠવવાથી તે ઇશાન ખૂણામાંથી આવતો હકારાત્મક ઊર્જાનો પ્રવાહ અવરોધાય નહીં તેની ખાતરી કરે છે, જે સૌથી શુભ દિશા માનવામાં આવે છે. સીડીના વાસ્તુની દિશા નાણાકીય સ્થિરતા અને માનસિક શાંતિ પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે. વધુમાં વાસ્તુ મુજબ તેની યોગ્ય ગોઠવણ કરવાથી તે ઘરમાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય અને સફળતા પર નકારાત્મક પ્રભાવ પાડી શકતાં માળખાકીય અસંતુલનોને રોકી શકે છે. આમ, સીડી માટેના વાસ્તુની દિશાઓના સિદ્ધાંતોના ઘટકોને સામેલ કરવાનો અર્થ છે, પરંપરાઓનું પાલન કરવું તથા ઇમારતના આર્કિટેક્ચરમાં સ્માર્ટ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપનારી ડીઝાઇનની પસંદગી કરવી.



સીડી માટેના વાસ્તુ અંગેના સૂચનો



1. સીડીની દિશા માટેનું વાસ્તુ

સીડી પૂર્વમાંથી પશ્ચિમ તરફ અથવા તો ઉત્તરમાંથી દક્ષિણ તરફ જતી હોવી જોઇએ. તેની આ દિશા સૂર્યોદયની સાથે સુસંગત છે અને સીડી હકારાત્મક ઊર્જાનો અસરકારક રીતે ઉપયોગ કરે તેની ખાતરી કરે છે.

 

2. સીડી માટેના વાસ્તુમાં ઘરની પશ્ચિમ કે દક્ષિણ દિશાની ભલામણ કરવામાં આવે છે

તમારી સીડીને ઘરની પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ગોઠવો. આ દિશાઓ શક્તિ અને સ્થિરતા માટે શુભ માનવામાં આવે છે તથા ઘરની સમૃદ્ધિ પર નકારાત્મક પ્રભાવોને ઘટાડે છે.

 

3. સીડી માટેના વાસ્તુ મુજબ સ્પાઇરલ ડીઝાઇનને ટાળો

સ્પાઇરલ કે સર્પાકાર સીડીઓ નકારાત્મક ઊર્જાના સંચારને વધારતી હોવાનું માનવામાં આવે છે. તેના બદલે તમે હકારાત્મક ઊર્જાઓના નિર્બાધ પ્રવાહ માટે સીધી ઉપરની તરફ જતી સીડી પસંદ કરી શકો છો.

 

4. પગથિયાંની સંખ્યાના સંબંધમાં સીડીના વાસ્તુના સૂચનો

સીડીના પગથિયા એકી સંખ્યામાં હોય અને આ સંખ્યાની પાછળ શૂન્ય ના આવતો હોય તેની ખાતરી કરો. તેનાથી સારું ભાગ્ય આકર્ષાતું હોવાનું અને હકારાત્મક ઊર્જાની સાઇકલ જળવાતી હોવાનું માનવામાં આવે છે.

 

5. વાસ્તુ મુજબ સીડીની સ્થિતિ

ક્યારેય સીડીને ઘરના કેન્દ્ર (બ્રહ્મસ્થાન)માં ગોઠવશો નહીં, કારણ કે, તેનાથી બ્રહ્માંડીય ઊર્જાઓના પ્રવાહ વિક્ષેપિત થઈ શકે છે. ઘણીવાર નૈઋત્યને શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે.

 

6. સીડી માટેના વાસ્તુ મુજબ બ્રહ્મસ્થાનથી દૂર રહો

સમગ્ર ઘરમાં લાભદાયી ઊર્જાઓનો પ્રવાહ અવરોધાય નહીં તે માટે બ્રહ્મસ્થાન તરીકે ઓળખાતા ઘરના કેન્દ્રિય હિસ્સામાં સીડી જેવા કોઈ પણ ભારે માળખાં રાખવા જોઇએ નહીં.

 

7. ઘરની બહાર સીડી બનાવવા માટે વાસ્તુનો નિયમ

ઘરની બહાર સીડી બનાવવા માટે અગ્નિ અને વાયવ્ય દિશાઓ યોગ્ય ગણવામાં આવે છે. હકારાત્મક ઊર્જાના પ્રવાહને વધારવા માટે આ સીડીઓ આદર્શ રીતે ઇશાન ખૂણામાં ઉપર જતી હોવી જોઇએ.

 

8. સીડીની નીચે સ્ટોરેજ માટેનું વાસ્તુ

સ્ટોરેજ માટે સીડીની નીચેની જગ્યાનો ઉપયોગ કરી શકાય છે પરંતુ તેમાં ચીજોને અવ્યવસ્થિત રીતે ના મૂકવી જોઇએ અને ઊર્જાનો પ્રવાહ અવરોધાય નહીં તેની ખાતરી કરવા આ જગ્યામાં વ્યવસ્થા જાળવવી જોઇએ.

 

9. સીડીઓ માટેના વાસ્તુ મુજબ આછા રંગો સારા ગણાય છે

આછાં રંગો વધુ પ્રકાશ અને હકારાત્મક ઊર્જાને આકર્ષતા હોવાથી તેના માટે આછાં રંગોની ભલામણ કરવામાં આવે છે, જે મોકળાશ અને શાંતિની ભાવના પેદા કરે છે.

 

10. નજીકમાં આવેલા દરવાજા માટે સીડીના વાસ્તુનું સૂચન

સીડીની સામે સીધો કોઈ દરવાજો આવતો ના હોય તેની ખાતરી કરો, ખાસ કરીને ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર. આમ કરવાથી ઘરમાંથી હકારાત્મક ઊર્જા બહાર જતી રહે છે, જે તેમાં રહેતા લોકોની સુખાકારીને પ્રભાવિત કરે છે.

 

 

સીડીના કઠેડા માટે વાસ્તુના નિયમો કયા છે?



સલામતી અને હકારાત્મક ઊર્જાના પ્રવાહની ખાતરી કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં સીડીના કઠેડાની યોગ્ય રીતે રચવા કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. કઠેડો સીડી પર તમે જ્યારે ચઢી રહ્યાં હો ત્યારે તમારી જમણી બાજુએ આવતો હોવો જોઇએ, જે હકારાત્મક ઊર્જાની કુદરતી ગતિશીલતાની સાથે સુસંગત ગણાય છે. સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરવા તે મજબૂત અને સળંગ હોવો જોઇએ, આદર્શ રીતે લાકડાં કે ધાતુમાંથી બનાવેલો હોવો જોઇએ. કઠેડો તૂટેલો ના હોવો જોઇએ કે તેની જાળવણી સારી રીતે થતી હોવી જોઇએ, કારણ કે, આમ ના હોવાથી ઊર્જાના પ્રવાહમાં વિક્ષેપ પડે છે અને સલામતી પર જોખમ પેદા થઈ શકે છે. તમામ વયના લોકો સરળતાથી કઠેડો પકડીને સીડી ચઢી શકે તે માટે તેની ઊંચાઈ પણ યોગ્ય હોવી જોઇએ, જે કઠેડાની ઉપયોગિતા અને સલામતીને વધારે છે.



સીડીની રચનામાં વાસ્તુશાસ્ત્રાના નિયમોનું પાલન કરવાથી હકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે તથા સુખાકારી અને સમૃદ્ધિને પ્રોત્સાહન મળે છે. સંવાદિતા અને સંતુલનને પ્રોત્સાહન આપવા માટે સીડીની યોગ્ય ગોઠવણ અને દિશા મહત્વપૂર્ણ છે. સીડીની યોગ્ય દિશા તથા કઠેડા જેવા તેના ઘટકોની વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલી ડીઝાઇન સહિત આ સિદ્ધાંતોનું પાલન કરવાથી વધુ સલામત અને વધુ શુભ માહોલની રચના થાય છે. વાસ્તુની આ માર્ગદર્શિકાને સમજીને તેને લાગુ કરવાથી નવી કે ફરીથી બનાવેલી સીડીની ડીઝાઇનને નોંધપાત્ર રીતે સુધારી શકાય છે.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. વાસ્તુની દ્રષ્ટિએ સીડીનો આદર્શ આકાર કેવો હોવો જોઇએ?

શ્રેષ્ઠ વાસ્તુ માટે સીડી સીધી અથવા થોડી વળાંકવાળી હોવી જોઇએ, જોકે, તે સ્પાઇરલ (સર્પાકાર) તો ના જ હોવી જોઇએ. સીધી સીડી ઊર્જાના સીધા પ્રવાહને પ્રોત્સાહન આપે છે અને તેની પર ચઢવું-ઉતરવું પણ સરળ હોય છે, જે ઘરમાં સંતુલન અને સંવાદિતા જાળવી રાખે છે.

 

2. શું હું સીડીની નીચે પૂજા રૂમ બનાવી શકું?

વાસ્તુના સિદ્ધાંતો મુજબ, સીડીની નીચે પૂજા રૂમ બનાવવાની ભલામણ કરવામાં આવતી નથી. આ ભાગ સતત ભારણ હેઠળ રહેતો હોવાનું માનવામાં આવે છે, જેનાથી શાંતિ અને દૈવી જોડાણ માટેની આ જગ્યામાં નકારાત્મક માહોલ પેદા થઈ શકે છે.

 

3. સીડીના પગથિયાંની કઈ સંખ્યા ભાગ્યશાળી ગણાય છે?

વાસ્તુમાં સીડીના પગથિયાંની સંખ્યા એકી હોવી જોઇએ આ સંખ્યાની પાછળ શૂન્ય ના આવતો હોવો જોઇએ, કારણ કે 9, 11, 15 કે 21 જેવા નંબરોને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે હકારાત્મક ઊર્જાને આકર્ષતા હોવાનું મનાય છે.

 

4. મુખ્ય પ્રવેશદ્વારની સામે આવેલી સીડી સારી ગણાય છે?

ના, વાસ્તુમાં મુખ્ય પ્રવેશદ્વારની બિલકુલ સામે આવેલી સીડીને અશુભ ગણવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે, આ પ્રકારની સ્થિતિથી ઊર્જા ઘરની બહાર જતી રહે છે, જેના કારણે તેમાં રહેતા લોકોએ નાણાકીય અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

 

5. વાસ્તુ મુજબ સીડી કઈ દિશામાં હોવી જોઇએ?

વાસ્તુ મુજબ સીડી આદર્શ રીતે નૈઋત્ય, પશ્ચિમ કે દક્ષિણ દિશા જેવા નકારાત્મક હિસ્સાઓમાં હોવી જોઇએ, જેથી કરીને તે ઇશાન ખૂણામાંથી આવતી હકારાત્મક ઊર્જાની સાથે હસ્તક્ષેપ ના કરે તેની ખાતરી કરી શકાય છે. આ પ્રકારની ગોઠવણ સમગ્ર ઘરમાં ઊર્જાના સુમેળભર્યા પ્રવાહને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....