ફિક્સ્ડ બીમનો સિદ્ધાંત શું છે?
ફિક્સ્ડ બીમ પાછળનો સિદ્ધાંત તેની બંને છેડે મજબૂત રીતે એનકર્ડ હોવાને કારણે બેન્ડ થતું નથી. આ રોટેશન થતું અટકાવે છે, જેને કારણે ભાર હેઠળ ડિફ્લેક્શન ઓછું થાય છે. બીમના ફિક્સ્ડ છેડા બીમ પર કાર્ય કરતા ફોર્સને સપોર્ટિંગ સ્ટ્રક્ચર પાર ટ્રાન્સફર કરે છે, જે સ્થિરતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. વધુ મજબૂતાઈ અને વળવા સામે પ્રતિકારતાની જરૂર હોય તેવી પરિસ્થિતિઓ માટે ફિક્સ્ડ બીમ આદર્શ છે.
ફિક્સ્ડ બીમના પ્રકારો
1. કેન્ટિલિવર્ડ ફિક્સ્ડ બીમ્સ
2. મોનોલિથિક ફિક્સ્ડ બીમ્સ
3. કમ્પોઝિટ ફિક્સ્ડ બીમ્સ
ઘર બનાવનારાઓએ ફિક્સ્ડ બીમ્સનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
તમારા ઘરના બાંધકામનું આયોજન કરતી વખતે યોગ્ય બીમનો પ્રકાર પસંદ કરવો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટે મહત્વપૂર્ણ છે. અહીં શા માટે ફિક્સ્ડ બીમ્સ યોગ્ય પસંદગી હોઈ શકે છે:
1. ભારનું સારી રીતે વિતરણ: ફિક્સ્ડ બીમ્સ વધુ વજન વહન કરી શકે છે કારણ કે તે બંને છેડે સુરક્ષિત રીતે એનકર્ડ હોય છે, જે ભારનું સારું ડિસ્ટ્રીબ્યુશન પૂરું પાડે છે.
2. ઘટાડેલું ડિફ્લેક્શન: તેમના રિજિડ સપોર્ટ સાથે, ફિક્સ્ડ સપોર્ટ બીમ્સ ઓછું વળવું અથવા ઝૂલવું અનુભવે છે, જે સમય જતાં તમારા ઘરની સ્ટ્રક્ચરલ ઈન્ટેગ્રિટી જાળવવા માટે નિર્ણાયક છે.
3. ટકાઉપણું: ફિક્સ્ડ બીમ્સ તણાવ સામે વધુ પ્રતિકારતા આપે છે, જે છત અથવા મોટી ખુલ્લી જગ્યાઓ જેવા વિવિધ ભારને આધિન સ્ટ્રક્ચરો માટે મહત્વપૂર્ણ છે.
4. લાંબા ગાળે ખર્ચ કાર્યક્ષમ: તેને વધુ મટીરીઅલ અને પ્રારંભિક કામની જરૂર પડી શકે છે પરંતુ તે લાંબા ગાળે ટકાઉપણું અને ઓછો મેઇન્ટેનન્સ ખર્ચ આપે છે.