Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
તમારું ઘર જે દિશામાં હોય છે, તે તમારા રોજિંદા જીવન પર ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે.
તમારું ઘર કઈ દિશામાં છે, તે જાણવા માટે તમે તમારા ફોનમાં રહેલી કમ્પસ એપ (હોકાયંત્ર)નો ઉપયોગ કરી શકો છો.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અલગ-અલગ દિશાઓના અલગ-અલગ લાભ અને પડકારો હોય છે.
તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારની દિશા તમારા ઘરમાં ઊર્જાના પ્રવાહ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.
તમારા ઘરમાં રહેલો પ્રત્યેક રૂમ ચોક્કસ દિશાના લાભ પૂરાં પાડે છે.
તમારું ઘર કઈ દિશા તરફનું છે, તે જાણવું ખૂબ જ સરળ છે. તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે ઊભા રહો, તેની બહારની તરફ જુઓ. તમે જે દિશા તરફ જોઈ રહ્યાં છો, તમારું ઘર એ દિશા તરફનું છે. વધુ સચોટતા માટે હોકાયંત્રનો ઉપયોગ કરો.
ફોનની મદદથી તમારું ઘર કઈ દિશાનું છે તે કેવી રીતે જાણી શકાય?
તમે તમારા ઘરની દિશા જાણવા માટે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો. મોટાભાગના ફોનમાં કમ્પસ એપ હોય છે. તમે તેનો ઉપયોગ આ રીતે કરી શકો છોઃ
1. તમારા ફોનમાં રહેલી કમ્પસ એપને ખોલો.
2. તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઊભા રહો અને બહારની તરફ જુઓ.
3. તમારા ફોનને સ્થિર રીતે આડો પકડી રાખો અને તેમાં જે દિશા દેખાડે છે, તેને નોંધી લો.
વાસ્તુશાસ્ત્ર મુજબ પૂર્વાભિમુખ ઘર શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે, તેનાથી ઘરમાં હકારાત્મક ઊર્જા આવે છે અને તેમાં રહેનારા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. ઉત્તરાભિમુખ ઘર પણ સારા ગણાય છે, કારણ કે તેનાથી સમૃદ્ધિ આવે છે અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે. તમારા ઘર માટે કઈ દિશા સારી છે, તે જાણવાથી હકારાત્મક ઊર્જાઓ આકર્ષાય છે અને એક સુખી સંસારની રચના થાય છે. કોઈ પણ ખરાબ પ્રભાવોને ટાળવા માટે દક્ષિણ કે પશ્ચિમ દિશાના ઘરો માટે વિશેષ માર્ગદર્શન લેવું પડે છે, જે તેને તમારી જરૂરિયાતો પર આધારિત પસંદગી માટે મહત્વપૂર્ણ બનાવે છે.
તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર સૌથી મહત્વપૂર્ણ છે. તે સમૃદ્ધિ અને સુખાકારીનો પ્રવેશદ્વાર ગણાય છે. તમારા પ્રવેશદ્વારની દિશા તમારા ઘરમાં પ્રવાહિત થતી ઊર્જાને પ્રભાવિત કરે છે. કઈ દિશાનું ઘર સારું છે, તે જાણવાથી તમને તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર શ્રેષ્ઠ જગ્યાએ મૂકવામાં મદદરૂપ થાય છે.
મુખ્ય પ્રવેશદ્વાર ઘરનો સૌથી મોટો દરવાજો હોય તેની ખાતરી કરો.
પ્રવેશદ્વારને સ્વચ્છ અને યોગ્ય હવાઉજાસવાળો રાખો.
સારા પ્રતિકો અને છોડ વડે પ્રવેશદ્વારને શણગારો.
મુખ્ય પ્રવેશદ્વારની બરોબર વિરુદ્ધ દિશામાં અરીસો મૂકશો નહીં.
મુખ્ય પ્રવેશદ્વારની આસપાસના વિસ્તારને અવ્યવસ્થિત ના રાખશો.
તમારા ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર અન્ય કોઈ ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સીધું સામે ના હોવું જોઇએ.
સૌથી વધુ હકારાત્મક ઊર્જા મેળવવા માટે તમારા ઘરમાં આવેલા પ્રત્યેક રૂમ શ્રેષ્ઠ જગ્યાએ હોવા જોઇએ. તમારા ઘર માટે કઈ દિશા સારી છે, તે જાણી લેવાથી તે તમને પ્રત્યેક રૂમને સારી રીતે ગોઠવવામાં મદદરૂપ થાય છે.
ઘરનો માસ્ટર બેડરૂમ નૈઋત્ય દિશામાં હોવો જોઇએ. તેનાથી સ્થિરતા આવે છે અને સંબંધો મજબૂત રહે છે.
બાળકોનો બેડરૂમ પશ્ચિમ કે વાયવ્ય દિશામાં શ્રેષ્ઠ ગણાય છે, જે સર્જનાત્મકતા અને વૃદ્ધિમાં મદદરૂપ થાય છે.
લિવિંગ રૂમ ઉત્તર, પૂર્વ કે ઇશાન દિશા તરફનો હોવો જોઇએ. આ દિશાઓ હકારાત્મકતા અને સંવાદિત લાવે છે.
રસોડા માટે અગ્નિ દિશા શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે વાસ્તુશાસ્ત્રના અગ્નિ તત્વની સાથે મેળ ખાય છે.
ડાઇનિંગ રૂમ પશ્ચિમ કે પૂર્વ દિશામાં હોવો જોઇએ, જે આરોગ્ય અને સમૃદ્ધિને વધારે છે.
ઇશાન ખૂણો પૂજા રૂમ માટે શ્રેષ્ઠ ગણાય છે, તેનાથી આદ્યાત્મિક ઉન્નતિ થાય છે અને ઘરમાં શાંતિ આવે છે.
નકારાત્મક ઊર્જાઓને દૂર કરવા માટે બાથરૂમ પશ્ચિમ કે વાયવ્ય દિશામાં હોવો જોઇએ.
ઘરની દિશાના મહત્વને સમજવાથી તમારા ઘરમાં તમારા જીવનને નોંધપાત્ર રીતે સુધારી શકાય છે. તમે નવું ઘર ખરીદી રહ્યાં હો કે જૂના ઘરમાં સમારકામ કરાવી રહ્યાં હો, વાસ્તુશાસ્ત્રના આ સૂચનોનું પાલન કરવાથી સુખી અને સંતુલિત ઘરનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. પ્રત્યેક રૂમ અને મુખ્ય પ્રવેશદ્વારને યોગ્ય જગ્યાએ ગોઠવવાથી તમે હકારાત્મક ઊર્જાના પ્રવાહને વધારી શકો છો. ઘરની કઈ દિશા શુભ ગણાય છે, તે જાણવું જરૂરી છે.
પૂર્વાભિમુખ ઘર સૌથી શ્રેષ્ઠ ગણાય છે કે કારણ કે તેમાં સવારનો કૂણો તડકો ઘરમાં પ્રવેશે છે, જે હકારાત્મક ઊર્જા લાવે છે અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. આ દિશા પરંપરાગત રીતે સૃમદ્ધિ, સુખાકારી અને સંવાદિતાની સાથે સંકળાયેલી છે, જે ઘર બાંધવા માટે તેને ઘણી સંસ્કૃતિઓમાં લોકપ્રિય વિકલ્પ બનાવે છે.
ઉત્તર દિશાના ઘરને ઘણીવાર ભાગ્યશાળી ગણવામાં આવે છે, કારણ કે તેનાથી સમૃદ્ધિ આવતી હોવાનું, કારકિર્દીમાં પ્રગતિ અને જીવનમાં આગળ વધવાની તકો પ્રાપ્ત થતી હોવાનું માનવામાં આવે છે. આ દિશા શુભ છે, કારણ કે તે નાણાકીય સફળતા અને સ્થિરતા સાથે સંકળાયેલી છે, જે તેને સંપત્તિ વધારવા અને વ્યાવસાયિક જીવનમાં સફળતા મેળવા માગતા લોકોનો મનપસંદ વિકલ્પ બનાવે છે.
દક્ષિણ અને પશ્ચિમ દિશાના ઘરોને સામાન્ય રીતે ખાસ શુભ ગણવામાં આવતાં નથી, કારણ કે તેનાથી જીવનમાં પડકારો અને નકારાત્મક ઊર્જા આવતી હોવાનું માનવામાં આવે છે. જોકે, યોગ્ય આર્કિટેક્ચરલ ડીઝાઇન અને ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન કરવાથી આ દિશા પણ શુભ બની શકે છે અને સંતુલિત અને હકારાત્મક માહોલની ખાતરી કરી શકે છે.
ઘરની મુખ્ય એન્ટ્રી સામાન્ય રીતે પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઇએ, કારણ કે, તેનાથી ઊર્જાનો શ્રેષ્ઠ પ્રવાહ અને સમૃદ્ધિ આવતી હોવાનું માનવામાં આવે છે. આ દિશામાં રહેલી એન્ટ્રીથી ઘરમાં સૃમદ્ધિ, સફળતા આવે છે અને સુમેળભર્યુ વાતાવરણ સર્જાય છે, જેનાથી તેમાં રહેનારા લોકોને ઘણો લાભ થાય છે.