વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



કઈ દિશાનું ઘર સારું ગણાય છે, તે નક્કી કરો

તમારા ઘર માટે યોગ્ય દિશા પસંદ કરવી એ તમારા આરામ અને ખુશીઓમાં મોટો તફાવત સર્જી શકે છે. વાસ્તુશાસ્ત્ર જેવી પરંપરાઓ મુજબ તમારું ઘર જે દિશામાં હોય છે, તે સૂર્યપ્રકાશ, હવાના પ્રવાહ તથા તમારા ભાગ્ય અને સુખાકારીને પણ પ્રભાવિત કરી શકે છે. આ માર્ગદર્શિકામાં એ સમજાવવામાં આવ્યું છે કે ઘરની દિશા શા માટે મહત્વની છે અને ઘરની કઈ દિશા તમારા માટે શુભ ગણાય છે.

Share:


મુખ્ય વિગતો

 

  • તમારું ઘર જે દિશામાં હોય છે, તે તમારા રોજિંદા જીવન પર ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે.

     

  • તમારું ઘર કઈ દિશામાં છે, તે જાણવા માટે તમે તમારા ફોનમાં રહેલી કમ્પસ એપ (હોકાયંત્ર)નો ઉપયોગ કરી શકો છો.

     

  • વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અલગ-અલગ દિશાઓના અલગ-અલગ લાભ અને પડકારો હોય છે.

     

  • તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારની દિશા તમારા ઘરમાં ઊર્જાના પ્રવાહ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.

     

  • તમારા ઘરમાં રહેલો પ્રત્યેક રૂમ ચોક્કસ દિશાના લાભ પૂરાં પાડે છે.



ઘરની દિશાનું મહત્વ

તમારું ઘર જે દિશામાં હોય છે, તે તમારા રોજિંદા જીવનમાં ઘણી બધી બાબતોને પ્રભાવિત કરે છે. તમારા ઘરમાં કેટલો સૂર્યપ્રકાશ આવે છે, તમારું ઘર કેટલું ઠંડુ કે ગરમ રહે છે તથા તમે માનસિક અને શારીરિક રીતે કેવું અનુભવો છો, તેને આ બાબત પ્રભાવિત કરે છે.
કઈ દિશાનું ઘર શ્રેષ્ઠ ગણાય છે? ભારતની જૂની પરંપરા વાસ્તુશાસ્ત્રતમાં જણાવવામાં આવ્યું છે કે, તમારા ઘરની દિશા તમારા સ્વાસ્થ્ય, સંપત્તિ અને શાંતિને પ્રભાવિત કરી શકે છે. ચાઇનિઝ પ્રેક્ટિસ ફેંગ શુઈમાં પણ એમ માનવામાં આવે છે કે, તમારા ઘરની દિશા સંતુલિત અને સુખી જીવન માટે મહત્વપૂર્ણ છે. તમારા ઘરની કઈ દિશા છે, તે જાણવું જરૂરી છે, કારણ કે, તે યોગ્ય ઘરને પસંદ કરવામાં કે નિર્માણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

 

 

Which House Facing is Good | UltraTech

ઘર કઈ દિશા તરફનું છે, તે કેવી રીતે જાણી શકાય?

તમારું ઘર કઈ દિશા તરફનું છે, તે જાણવું ખૂબ જ સરળ છે. તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે ઊભા રહો, તેની બહારની તરફ જુઓ. તમે જે દિશા તરફ જોઈ રહ્યાં છો, તમારું ઘર એ દિશા તરફનું છે. વધુ સચોટતા માટે હોકાયંત્રનો ઉપયોગ કરો.

 

  • ફોનની મદદથી તમારું ઘર કઈ દિશાનું છે તે કેવી રીતે જાણી શકાય?

    તમે તમારા ઘરની દિશા જાણવા માટે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો. મોટાભાગના ફોનમાં કમ્પસ એપ હોય છે. તમે તેનો ઉપયોગ આ રીતે કરી શકો છોઃ

     

    1. તમારા ફોનમાં રહેલી કમ્પસ એપને ખોલો.

 

    2. તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઊભા રહો અને બહારની તરફ જુઓ.

 

    3. તમારા ફોનને સ્થિર રીતે આડો પકડી રાખો અને તેમાં જે દિશા દેખાડે છે, તેને નોંધી લો.


ઘરની કઈ દિશા સારી ગણાય છે?



વાસ્તુશાસ્ત્ર મુજબ પૂર્વાભિમુખ ઘર શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે, તેનાથી ઘરમાં હકારાત્મક ઊર્જા આવે છે અને તેમાં રહેનારા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. ઉત્તરાભિમુખ ઘર પણ સારા ગણાય છે, કારણ કે તેનાથી સમૃદ્ધિ આવે છે અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે. તમારા ઘર માટે કઈ દિશા સારી છે, તે જાણવાથી હકારાત્મક ઊર્જાઓ આકર્ષાય છે અને એક સુખી સંસારની રચના થાય છે. કોઈ પણ ખરાબ પ્રભાવોને ટાળવા માટે દક્ષિણ કે પશ્ચિમ દિશાના ઘરો માટે વિશેષ માર્ગદર્શન લેવું પડે છે, જે તેને તમારી જરૂરિયાતો પર આધારિત પસંદગી માટે મહત્વપૂર્ણ બનાવે છે.

 

 

તમારા મુખ્ય પ્રવેશદ્વારની દિશાનું મહત્વ



તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર સૌથી મહત્વપૂર્ણ છે. તે સમૃદ્ધિ અને સુખાકારીનો પ્રવેશદ્વાર ગણાય છે. તમારા પ્રવેશદ્વારની દિશા તમારા ઘરમાં પ્રવાહિત થતી ઊર્જાને પ્રભાવિત કરે છે. કઈ દિશાનું ઘર સારું છે, તે જાણવાથી તમને તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર શ્રેષ્ઠ જગ્યાએ મૂકવામાં મદદરૂપ થાય છે.

 

મુખ્ય પ્રવેશદ્વારની દિશા માટે શું કરવું અને શું ન કરવું

 

શું કરવું:

  • મુખ્ય પ્રવેશદ્વાર ઘરનો સૌથી મોટો દરવાજો હોય તેની ખાતરી કરો.

     

  • પ્રવેશદ્વારને સ્વચ્છ અને યોગ્ય હવાઉજાસવાળો રાખો.

     

  • સારા પ્રતિકો અને છોડ વડે પ્રવેશદ્વારને શણગારો.

 

શું ન કરવું:

  • મુખ્ય પ્રવેશદ્વારની બરોબર વિરુદ્ધ દિશામાં અરીસો મૂકશો નહીં.

     

  • મુખ્ય પ્રવેશદ્વારની આસપાસના વિસ્તારને અવ્યવસ્થિત ના રાખશો.

     

  • તમારા ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર અન્ય કોઈ ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સીધું સામે ના હોવું જોઇએ.


ઘરમાં આવેલા વિવિધ રૂમો માટેના સૂચનો

સૌથી વધુ હકારાત્મક ઊર્જા મેળવવા માટે તમારા ઘરમાં આવેલા પ્રત્યેક રૂમ શ્રેષ્ઠ જગ્યાએ હોવા જોઇએ. તમારા ઘર માટે કઈ દિશા સારી છે, તે જાણી લેવાથી તે તમને પ્રત્યેક રૂમને સારી રીતે ગોઠવવામાં મદદરૂપ થાય છે.

 

  • ઘરના માસ્ટર બેડરૂમની દિશા



ઘરનો માસ્ટર બેડરૂમ નૈઋત્ય દિશામાં હોવો જોઇએ. તેનાથી સ્થિરતા આવે છે અને સંબંધો મજબૂત રહે છે.

 

  • ઘરના ચિલ્ડ્રન્સ બેડરૂમની દિશા



બાળકોનો બેડરૂમ પશ્ચિમ કે વાયવ્ય દિશામાં શ્રેષ્ઠ ગણાય છે, જે સર્જનાત્મકતા અને વૃદ્ધિમાં મદદરૂપ થાય છે.

 

  • ઘરના લિવિંગ રૂમની દિશા



લિવિંગ રૂમ ઉત્તર, પૂર્વ કે ઇશાન દિશા તરફનો હોવો જોઇએ. આ દિશાઓ હકારાત્મકતા અને સંવાદિત લાવે છે.

 

  • ઘરના રસોડાની દિશા



રસોડા માટે અગ્નિ દિશા શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે વાસ્તુશાસ્ત્રના અગ્નિ તત્વની સાથે મેળ ખાય છે.

 

  • ઘરના ડાઇનિંગ રૂમની દિશા

    ડાઇનિંગ રૂમ પશ્ચિમ કે પૂર્વ દિશામાં હોવો જોઇએ, જે આરોગ્ય અને સમૃદ્ધિને વધારે છે.

     

  • ઘરના પૂજા રૂમની દિશા



ઇશાન ખૂણો પૂજા રૂમ માટે શ્રેષ્ઠ ગણાય છે, તેનાથી આદ્યાત્મિક ઉન્નતિ થાય છે અને ઘરમાં શાંતિ આવે છે.

 

  • ઘરના બાથરૂમની દિશા

    નકારાત્મક ઊર્જાઓને દૂર કરવા માટે બાથરૂમ પશ્ચિમ કે વાયવ્ય દિશામાં હોવો જોઇએ.



ઘરની દિશાના મહત્વને સમજવાથી તમારા ઘરમાં તમારા જીવનને નોંધપાત્ર રીતે સુધારી શકાય છે. તમે નવું ઘર ખરીદી રહ્યાં હો કે જૂના ઘરમાં સમારકામ કરાવી રહ્યાં હો, વાસ્તુશાસ્ત્રના આ સૂચનોનું પાલન કરવાથી સુખી અને સંતુલિત ઘરનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. પ્રત્યેક રૂમ અને મુખ્ય પ્રવેશદ્વારને યોગ્ય જગ્યાએ ગોઠવવાથી તમે હકારાત્મક ઊર્જાના પ્રવાહને વધારી શકો છો. ઘરની કઈ દિશા શુભ ગણાય છે, તે જાણવું જરૂરી છે.




વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. કઈ દિશા તમારા ઘર માટે શ્રેષ્ઠ ગણાય છે?

પૂર્વાભિમુખ ઘર સૌથી શ્રેષ્ઠ ગણાય છે કે કારણ કે તેમાં સવારનો કૂણો તડકો ઘરમાં પ્રવેશે છે, જે હકારાત્મક ઊર્જા લાવે છે અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. આ દિશા પરંપરાગત રીતે સૃમદ્ધિ, સુખાકારી અને સંવાદિતાની સાથે સંકળાયેલી છે, જે ઘર બાંધવા માટે તેને ઘણી સંસ્કૃતિઓમાં લોકપ્રિય વિકલ્પ બનાવે છે.

 

2. કઈ દિશાનું ઘર ભાગ્યશાળી માનવામાં આવે છે?

ઉત્તર દિશાના ઘરને ઘણીવાર ભાગ્યશાળી ગણવામાં આવે છે, કારણ કે તેનાથી સમૃદ્ધિ આવતી હોવાનું, કારકિર્દીમાં પ્રગતિ અને જીવનમાં આગળ વધવાની તકો પ્રાપ્ત થતી હોવાનું માનવામાં આવે છે. આ દિશા શુભ છે, કારણ કે તે નાણાકીય સફળતા અને સ્થિરતા સાથે સંકળાયેલી છે, જે તેને સંપત્તિ વધારવા અને વ્યાવસાયિક જીવનમાં સફળતા મેળવા માગતા લોકોનો મનપસંદ વિકલ્પ બનાવે છે.

 

3. ઘરની કઈ દિશા સારી ગણાતી નથી?

દક્ષિણ અને પશ્ચિમ દિશાના ઘરોને સામાન્ય રીતે ખાસ શુભ ગણવામાં આવતાં નથી, કારણ કે તેનાથી જીવનમાં પડકારો અને નકારાત્મક ઊર્જા આવતી હોવાનું માનવામાં આવે છે. જોકે, યોગ્ય આર્કિટેક્ચરલ ડીઝાઇન અને ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન કરવાથી આ દિશા પણ શુભ બની શકે છે અને સંતુલિત અને હકારાત્મક માહોલની ખાતરી કરી શકે છે.

 

4. કઈ બાજુની એન્ટ્રી ઘર માટે સારી ગણાય છે?

ઘરની મુખ્ય એન્ટ્રી સામાન્ય રીતે પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઇએ, કારણ કે, તેનાથી ઊર્જાનો શ્રેષ્ઠ પ્રવાહ અને સમૃદ્ધિ આવતી હોવાનું માનવામાં આવે છે. આ દિશામાં રહેલી એન્ટ્રીથી ઘરમાં સૃમદ્ધિ, સફળતા આવે છે અને સુમેળભર્યુ વાતાવરણ સર્જાય છે, જેનાથી તેમાં રહેનારા લોકોને ઘણો લાભ થાય છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....