Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
વાસ્તુ પ્રમાણેની ડીઝાઇન ધરાવતા પશ્ચિમમુખી ઘર શુભ હોય છે, જે સમૃદ્ધિ અને સુખાકારીને વધારે છે.
વાયવ્ય કે પશ્ચિમ દિશામાં આવેલું પ્રવેશદ્વાર હકારાત્મકતાને આમંત્રે છે અને નૈઋત્યની નકારાત્મકતાને ટાળે છે.
વાયવ્યમાં આવેલો બેઠકરૂમ પરિવારજનો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને વધારે છે અને અહીંથી ઘરમાં આછો પ્રકાશ પ્રવેશે છે.
નૈઋત્ય ખૂણામાં આવેલ બેડરૂમ સ્થિરતા વધારે છે અને શાંતિની ઊંઘ આપે છે.
અગ્નિ ખૂણામાં આવેલું રસોડું આરોગ્ય અને સમૃદ્ધિ માટે હકારાત્મક ઊર્જા પૂરી પાડે છે.
પશ્ચિમમુખી ઘર માટે ખૂબ જ વિચારીને તૈયાર કરવામાં આવેલી આ ઘરની ડીઝાઇન એક સમૃદ્ધિશાળી જગ્યાની રચના કરે છે, જે પ્રકૃતિના લયની સાથે સુસંગત હોય છે અને તેમાં રહેનારા લોકોની સુખાકારીને સમર્થન પૂરું પાડે છે.
પશ્ચિમમુખી ઘરોને જ્યારે પશ્ચિમમુખી ઘર માટેના વાસ્તુના પ્લાન મુજબ ડીઝાઇન કરવામાં આવે અને નિર્માણ કરવામાં આવે ત્યારે તે ખૂબ જ શુભ ગણાય છે. આ માર્ગદર્શિકા સૂચવે છે કે, જો ઘરને યોગ્ય રીતે બનાવવામાં આવ્યું હોય તો, પશ્ચિમ દિશા સહિતની કોઈ પણ દિશા સમૃદ્ધિ અને સુખાકારી લાવવાની ક્ષમતા ધરાવતી હોય છે. અહીં ખાતરી કરવાની બાબત એ છે કે, પ્રવેશદ્વાર, બારીઓ અને રૂમની ગોઠવણ જેવા પશ્ચિમમુખી ઘરના વાસ્તુના ઘટકો વાસ્તુના સિદ્ધાંતો મુજબ હોવા જોઇએ.
એક સારી રીતે તૈયાર કરવામાં આવેલો પશ્ચિમમુખી ઘરનો પ્લાન અસરકારક રીતે ઊર્જાઓને સંતુલિત કરી શકે છે અને ઘરની અંદર નાણાકીય સ્થિરતા અને હકારાત્મક સ્પંદનોને વધારી શકે છે. આમ, પશ્ચિમમુખી ઘર ખરીદવું એ કોઈ ચિંતાજનક બાબત નથી, ખાસ કરીને જ્યારે ઘરનો પ્લાન વાસ્તુ મુજબ બનાવવામાં આવેલો હોય. વાસ્તુ મુજબ બનાવવામાં આવેલી પ્રોપર્ટીઓ શુભ ઊર્જાઓને આકર્ષે છે તથા ભરપૂર ખુશીઓ અને સફળતાથી સમૃદ્ધ માહોલને પ્રોત્સાહન આપે છે.
તો ચાલો, આપણે પશ્ચિમમુખી એપાર્ટમેન્ટ માટે વાસ્તુશાસ્ત્રના મુજબ બનાવેલા ઘરના પ્લાનના 10 સૂચનો જાણીએ, જે તમારા પશ્ચિમમુખી ઘરના વાસ્તુને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ, પશ્ચિમમુખી ઘરના પ્રવેશદ્વારને વાયવ્ય કે પશ્ચિમ દિશામાં રાખવાથી તે હકારાત્મક ઊર્જાના પ્રવાહને મહત્તમ સ્તરે લઈ જાય છે. આ વ્યૂહાત્મક જગ્યા સમૃદ્ધિ અને હકારાત્મકતાને આમંત્રે છે તથા દુર્ભાગ્ય અને અવરોધોને આકર્ષનારા નૈઋત્યના પ્રવેશદ્વાર સાથે સંકળાયેલા નકારાત્મક પ્રભાવોને અટકાવે છે.
ઘરના આગળના ભાગને હરિયાળો બનાવવાથી (મુખ્ય પ્રવેશદ્વારની નજીક સિવાય) પશ્ચિમમુખી પ્રોપર્ટીઓ માટે બે હેતુઓ સિદ્ધ થાય છે. પહેલા તો તે સૂર્યના આકરા તાપ સામે રક્ષણ પૂરું પાડી ઠંડક આપે છે. બીજું, તેનાથી ઘરની સુંદર વધે છે અને ઘરની આસપાસના વાતાવરણની ગુણવત્તા સુધરે છે, જે એકંદર સુખાકારીમાં યોગદાન આપે છે.
પશ્ચિમ દિશામાં જો મોટા ગ્લાસ ધરાવતી મોટી બારીઓ કે દરવાજા હોય તો તેમાંથી આકરો તડકો ઘરમાં પ્રવેશે છે અને આખરે ઘરનું તાપમાન વધે છે. આથી, પશ્ચિમમુખી ઘરોના વાસ્તુના પ્લાનમાં આ પ્રકારના ડીઝાઇનના ઘટકોને શક્ય એટલા ઘટાડીને કે પછી વ્યૂહાત્મક રીતે તેનું પ્લાનિંગ કરવાથી ઠંડક માટે ઊર્જાના વપરાશને ઘટાડવાની સાથે ઘરની અંદરના વાતાવરણને આરામદાયક જાળવવામાં મદદ મળી રહે છે.
પશ્ચિમમુખી ઘરના વાસ્તુ મુજબ, ઘરના વાયવ્ય ખૂણામાં બેઠક રૂમ બનાવવાથી તે સામાજિક ક્રિયાપ્રતિક્રિયાને અને પરિવારના સભ્યોની વચ્ચે એકતાને વધારે છે. આ ઉપરાંત, તે વાતની ખાતરી પણ કરે છે કે સાંજના સમયે ઘરમાં પૂરતો પ્રકાશ આવે અને તે આરામ કરવા અને મહેમાનોનું મનોરંજન કરવા માટેની એક આહ્લાદક જગ્યા બની રહે.
નૈઋત્ય ખૂણો સ્થિરતા અને શાંતિ આપે છે, જે બેડરૂમના આરામદાયક માહોલ માટે ખૂબ જ જરૂરી હોય છે. વાસ્તુશાસ્ત્રમાં એમ પણ સલાહ આપવામાં આવી છે કે બેડરૂમમાં રહેલા અરીસાઓને ઢાંકી દેવા જોઇએ, જેથી કરીને ઊંઘમાં વિક્ષેપ પાડનારી પેટર્નને તોડી શકાય તથા શાંતિપૂર્ણ અને આરામદાયક માહોલની ખાતરી કરી શકાય.
અગ્નિ ખૂણામાં રસોડું બનાવવાથી તે અગ્નિ તત્વની સાથે સંબંધિત હકારાત્મક ઊર્જાનો ઉપયોગ થાય તેની તે ખાતરી કરે છે, જે સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે છે. પશ્ચિમમુખી ઘરના વાસ્તુના પ્લાનમાં આ જગ્યા નૈઋત્યના રસોડાના નકારાત્મક પ્રભાવોને ટાળે છે અને પૂર્વાભિમુખ બેસીને જમવાના અનુભવને સુધારે છે.
પશ્ચિમમુખી ઘરના વાસ્તુ માટે ઇશાન ખૂણાને પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે, જે મંદિર કે પૂજા રૂમ માટે બિલકુલ યોગ્ય જગ્યા ગણાય છે. ઘરનો આ વિસ્તાર દૈવી શક્તિઓને આમંત્રે છે અને તેમાં રહેતા નિવાસીઓ શાંત વાતાવરણમાં ધ્યાન અને પૂજાપાઠ કરી શકે છે.
વાયવ્ય કે પૂર્વમાં બાથરૂમ કે ટોઇલેટ રાખવાથી વાસ્તુના દોષો શક્ય એટલા ઘટી જાય છે, જે નકારાત્મક ઊર્જાઓને નાબુદ કરે છે. આ વ્યૂહાત્મક ગોઠવણ ઘરની અંદર હકારાત્મક જગ્યાઓને દૂષિત થતી અટકાવે છે.
બેકી સંખ્યામાં રહેલા દરવાજા સમગ્ર ઘરમાં ઊર્જાના પ્રવાહને સંતુલિત કરે છે. વાસ્તુમાં રહેલા સંતુલન અને સપ્રમાણતાના નિયમોનું પાલન કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
ઉત્તર, પૂર્વ કે ઇશાનમાં બારીઓને પ્રાથમિકતા આપવાથી ઘરમાં સૂર્યનો આકરો તડકો પ્રવેશવાને બદલે આછો, કુદરતી સૂર્યપ્રકાશ મળી રહે છે. આ અભિગમ ઘરની અંદર યોગ્ય તાપમાન જાળવી રાખવાની સાથે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે.
પશ્ચિમમુખી ઘર માટે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનું પાલન કરવાથી ઘણાં લાભ થાય છે, તે એ વાતની ખાતરી કરે છે કે ઘરનું માળખું ઊર્જાના સાર્વત્રિક પ્રવાહની સાથે સુમેળભર્યું હોય. ઘરની ડીઝાઇનમાં અને ખાસ કરીને પશ્ચિમમુખી પ્રોપર્ટીમાં આ અંગે કાળજીપૂર્વક વિચારણા કરીને કુદરતી તત્વોની ક્રિયાપ્રતિક્રિયા માટે પ્રવેશદ્વાર અને રૂમની અનુકૂળ રીતે ગોઠવણ કરવાથી તે ઘરમાં સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી લાવે છે.
વાસ્તુની માર્ગદર્શિકા હેઠળ રસોડા, બેડરૂમ અને બેઠકરૂમ જેવા મહત્વના વિસ્તારોની વ્યૂહાત્મક જગ્યા ઘરની સંવાદિતા વધારે છે, નાણાકીય સ્થિરતા સુધારે છે અને સુખાકારીને સમર્થન પૂરું પાડે છે. પશ્ચિમમુખી ઘરના વાસ્તુ પ્લાનમાં દિશાત્મક ઊર્જાઓનો ફાયદો ઉઠાવીને નિવાસીઓ લાંબા સમય સુધી શાંતિનો અનુભવ કરી શકે છે તથા હકારાત્મક અને સંતુલિત માહોલનું નિર્માણ કરી શકે છે. પશ્ચિમમુખી ઘરમાં રહેનારા લોકો માટે ઘરની ડીઝાઇનનો આ એકીકૃત અભિગમ સર્વગ્રાહી અને સમૃદ્ધ જીવનની કૂંચી બની છે.
વાસ્તુના આ સિદ્ધાંતોનું પાલન કરીને તમે તમારા પશ્ચિમમુખી ઘરને હકારાત્મક ઊર્જા ધરાવતા ઘરમાં પરિવર્તિત કરી શકો છો. તેનાથી તમને બપોરે સૂરજનો તડકો આકરો લાગતો નથી અને શાંતિદાયક તત્વોની સાથે સંતુલનની ખાતરી પણ કરી શકો છો. યાદ રાખો, પશ્ચિમમુખી ઘરનો સારી રીતે તૈયાર કરવામાં આવેલો વાસ્તુ પ્લાન તમારા અને તમારા પ્રિયજનો માટે સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને સંવાદિતાની ભાવના લાવી શકે છે.
30X40ના પશ્ચિમમુખી ઘરના વાસ્તુ પ્લાન માટે મુખ્ય પ્રવેશદ્વારને પશ્ચિમ (નૈઋત્યમાં નહીં)માં રાખો, મુખ્ય રૂમોની ગોઠવણ વ્યૂહાત્મક રીતે કરો તથા રૂમનું પ્રમાણમાપ અને વેન્ટિલેશન વાસ્તુના સિદ્ધાંતો મુજબ હોય તેની ખાતરી કરો.
પશ્ચિમમુખી ઘરના વાસ્તુના પ્લાનમાં બેઠકરૂમને વાયવ્યમાં, રસોડાને અગ્નિ ખૂણામાં, બેડરૂમને નૈઋત્યમાં કે વાયવ્યમાં, બાથરૂમને પશ્ચિમ કે વાયવ્યમાં અને પૂજા રૂમને ઇશાન ખૂણામાં રાખવાની ભલામણ કરવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર ઘરની દિશાને કોઈ એક ચોક્કસ રાશિ સાથે જોડતું નથી, સૌ કોઈને લાભ મળી રહે તે માટે જો વાસ્તુના સિદ્ધાંતોનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવ્યું હોય તો, કોઈ પણ રાશિ ધરાવતા લોકો પશ્ચિમમુખી ઘરમાં રહી શકે છે.
હા, મુખ્ય પ્રવેશદ્વારને પશ્ચિમમુખી રાખી શકાય છે, વાસ્તુની માર્ગદર્શિકા મુજબ હકારાત્મક ઊર્જાઓને આકર્ષવા માટે તેને પશ્ચિમ દિશાના વાયવ્ય ખૂણામાં રાખવો જોઇએ.
30X60ના પશ્ચિમમુખી ઘરના એક આદર્શ પ્લાનમાં સારી રીતે ગોઠવાયેલા મુખ્ય પ્રવેશદ્વાર, રૂમની સંતુલિત ગોઠવણ, જગ્યાઓના અસરકારક રીતે ઉપયોગ અને ઊર્જા શ્રેષ્ઠ રીતે પ્રવાહિત થઈ શકે તે માટે સાઇટના યોગ્ય ઓરિયેન્ટેશનની સાથે વાસ્તુના નિયમોનું પાલન કરવાનો સમાવેશ થાય છે.