સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


સીમેન્ટ વૉટરપ્રૂફિંગ એટલે શું, તેના પ્રકારો અને ફાયદા અંગેની માર્ગદર્શિકા

શું તમે ક્યારેય એ બાબત વિચારી છે કે બિલ્ડિંગો ભારે વરસાદમાં પણ સૂકા કેવી રીતે રહી શકે છે? તેનું રહસ્ય સીમેન્ટ વૉટરપ્રૂફિંગમાં રહેલું છે. વૉટરપ્રૂફિંગ એક સંરક્ષણાત્મક આવરણ તરીકે કામ કરે છે, જે માળખાંને પાણી અને ભેજ સામે સુરક્ષાકવચ પૂરું પાડે છે તથા બિલ્ડિંગ શુષ્ક અને સલામત રહે તેની ખાતરી કરે છે.

Share:


જો તમે ઘર બનાવવાનું આયોજન કરી રહ્યાં હો અને તેને વરસાદ અને ભેજથી સુરક્ષિત કેવી રીતે રાખવું તે અંગે ચિંતિત હો તો, સીમેન્ટ વૉટરપ્રૂફિંગ એ એક અદભૂત ઉપાય છે. વરસાદમાં રેઇનકૉટ પહેરવાની જેમ જ આપણે આપણાં ઘરને પાણી ઝામવામાંથી ઉદ્ભતી સમસ્યાઓથી સુરક્ષિત રાખવા માટે તેની પર એક વૉટરપ્રૂફ લેયર લગાવવાનું છે.

 

વૉટરપ્રૂફિંગ એ બાંધકામના પ્રોજેક્ટમાં એક મહત્વનો ઉપાય છે, કારણ કે, પાણી ઝામવાથી ભેજના ગંદા ધબ્બાઓ, ફૂગ અને પાણીને કારણે માળખાંને નુકસાન તો થાય જ છે પરંતુ તેની સાથે-સાથે બિલ્ડિંગની એકંદર મજબૂતાઈ પણ જોખમાય છે. વૉટરપ્રૂફિંગ કરવાથી આપણે વિવિધ વાતાવરણમાં સીમેન્ટમાંથી બનેલા માળખાંની અખંડિતતા, દેખાવ અને ટકાઉપણાને અસરકારક રીતે સાચવી શકીએ છીએ. આ બ્લૉગમાં આપણે સીમેન્ટ વૉટરપ્રૂફિંગ એટલે શું અને યોગ્ય વૉટરપ્રૂફિંગની ખાતરી કરવા માટે તેને કરવાની વિવિધ પદ્ધતિઓ અંગે જાણકારી મેળવીશું.



સીમેન્ટ વૉટરપ્રૂફિંગ એટલે શું?



સીમેન્ટ વૉટરપ્રૂફિંગ એટલે કોઈ માળખાંની સપાટી પર કેટલાક વૉટરપ્રૂફિંગના રસાયણોની સાથે મિક્સ કરવામાં આવેલા સીમેન્ટના સુરક્ષાકવચને લગાવવું. આ સંરક્ષણાત્મક ઉપાયની રચના બિલ્ડિંગના માળખાંમાં પાણી કે ભેજને પ્રવેશતો અટકાવવા માટે કરવામાં આવી છે. આ મિશ્રણ મજબૂત, પાણી-પ્રતિરોધી સ્તરની રચના કરે છે, જે માળખાંની અખંડિતતા અને શુષ્કતાની ખાતરી કરે છે. બાંધકામ ઉદ્યોગમાં આ જરૂરી પ્રક્રિયા પાણી અને ભેજને કારણે થતાં નુકસાનની સામે એક પરવડે તેવો ઉકેલ પૂરો પાડીને બિલ્ડિંગના ટકાઉપણા અને આવરદાને વધારે છે.

 

 

સીમેન્ટ વૉટરપ્રૂફિંગના પ્રકારો

માળખાંની જરૂરિયાત, સ્થળ અને પાણી સાથેના સંભવિત સંસર્ગ પર આધાર રાખીને આ પ્રકારના વૉટરપ્રૂફિંગને ઘણી બધી રીતે કરી શકાય છે. અહીં તેના કેટલાક જાણીતા પ્રકારો આપ્યાં છેઃ

 

1. સીમેન્ટિશિયસ વૉટરપ્રૂફિંગ



આ પદ્ધતિમાં સપાટી પર પાતળા આવરણ તરીકે લગાવવામાં આવતી પેસ્ટ બનાવા માટે સીમેન્ટની સાથે વૉટરપ્રૂફિંગ કમ્પાઉન્ડને મિક્સ કરવામાં આવે છે. એકવાર તે સૂકાઈ જાય તે પછી તે એક સંરક્ષણાત્મક સ્તરની રચના કરે છે, જે પાણીને અંદર પ્રવેશવા દેતું નથી. આ પ્રકારના વૉટરપ્રૂફિંગને ઉપયોગમાં લેવું ખૂબ જ સરળ છે અને તે અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થાય છે, જેને ઘણીવાર શૌચાલય અને રસોડા જેવા ઘરની અંદરના ભીના વિસ્તારોમાં લગાવવામાં આવે છે. તેનો ફાયદો તેના ટકાઉપણા તથા વિવિધ પ્રકારની સપાટીઓ પર સારી રીતે ચોંટી રહેવાની તેની ક્ષમતામાં રહેલો છે. તેને ઘણીવાર ભોંયરામાં, છત પર અને પાણીની ટાંકીઓમાં પણ ઉપયોગમાં લેવાય છે.

 

2. લિક્વિડ વૉટરપ્રૂફિંગ મેમ્બ્રેન



લિક્વિડ વૉટરપ્રૂફિંગ મેમ્બ્રેન એ રોલર, સ્પ્રે કે ટ્રૉવેલ વડે લગાવવામાં આવતું પાતળું આવરણ છે, જે કૉંક્રીટની સપાટી પર રબર જેવા વૉટરપ્રૂફ લેયરની રચના કરે છે. તે ઉત્તમ સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણું આપે છે, જે તેને જટિલ પ્રકારના પરિદ્રશ્યો માટે આદર્શ વિકલ્પ બનાવે છે, જેમ કે, એવા સ્થળો જ્યાં માળખું થોડું ખસતું હોય કે તેમાં હલનચલન થતું હોય. સામાન્ય રીતે તેનો ઉપયોગ છત, અગાશી અને ભીના વિસ્તારોમાં થાય છે. કોઈ પણ સાંધા વગર સતત અવરોધની રચના કરવાની તેની ક્ષમતા એ આ પદ્ધતિનો સૌથી મોટો લાભ છે.

 

3. બિટ્યુમિનસ કૉટિંગ



બિટ્યુમિનસ કૉટિંગ કે આસ્ફાલ્ટ કૉટિંગ એ પાણી સામેના તેના ઉત્તમ પ્રતિરોધને કારણે સ્થિતિસ્થાપક સંરક્ષણાત્મક આવરણ માટે ઉપયોગમાં લેવાતા વૉટરપ્રૂફિંગનો એક પ્રકાર છે. ઘટ્ટ લેયરમાં લગાવવામાં આવતું આ કૉટિંગ ખૂબ જ અસરકારક વૉટરપ્રૂફ અવરોધ પૂરો પાડે છે. સૂર્યપ્રકાશના સંસર્ગ વિરુદ્ધ તેના ખૂબ જ નબળા પ્રતિરોધને કારણે મુખ્યત્વે જમીનની નીચે રહેલા કૉંક્રીટના માળખાં પૂરતો તેનો ઉપયોગ મર્યાદિત હોવાથી આ કૉટિંગ તેના ચોંટી રહેવાના ઉત્તમ ગુણને કારણે ફાઉન્ડેશનો અને કૉંક્રીટ ફૂટિંગ્સ માટે શ્રેષ્ઠ ગણાય છે.

 

4. બિટ્યુમિનસ મેમ્બ્રેન



બિટ્યુમિનસ મેમ્બ્રેન વૉટરપ્રૂફિંગ એ એક ભરોસેમંદ ટેકનિક છે, જેનો ઉપયોગ પ્રાથમિક રીતે ઓછો ઢોળાવ ધરાવતી છત પર થાય છે. તે સેલ્ફ-એડહેસિવ અને ટૉર્ચ-ઑન મેમ્બ્રેન ધરાવે છે. સેલ્ફ-એડહેસિવ એ આસ્ફાલ્ટ, પૉલીમર અને ફિલર્સનું મિશ્રણ હોય છે, જે સમય જતાં તેનો ચોંટી રહેવાનો ગુણ ગુમાવી દે છે. ટૉર્ચ-ઑન મેમ્બ્રેનને લગાવવામાં આવે છે અને ત્યારબાદ આબોહવાને કારણે થતાં નુકસાન સામે સુરક્ષા પૂરી પાડવા દાણાદાર ખનીજ એગ્રીગેટ્સની સાથે તેને સપાટી પર લગાવવામાં આવે છે. આ પ્રકારનાં વૉટરપ્રૂફિંગ ખાસ કરીને ટૉર્ચ-ઑન સીલિંગને તેના ટકાઉપણાને કારણે અને તે પરવડે તેવું હોવાથી પસંદ કરવામાં આવે છે.

 

5. ક્રીસ્ટેલાઇન એડમિક્સચર્સ



ક્રીસ્ટેલાઇન એડમિક્સચર્સને સીધા જ કૉંક્રીટના મિશ્રણમાં ઉમેરવામાં આવે છે, જ્યાં તે અદ્રાવ્ય સ્ફટિકોની રચના કરવા માટે પાણી સાથે પ્રતિક્રિયા કરે છે, હાઇડ્રેટેડ સીમેન્ટના કણોની સાથે નહીં. આ સ્ફટિકો કૉંક્રીટમાં રહેલા છિદ્રો અને બારિક તિરાડોને પૂરી દે છે, જે અસરકારક રીતે પાણીને પ્રવેશતું અટકાવે છે. આ પદ્ધતિ કૉંક્રીટને સીલ કરી દે છે અને તેને પાણીના પ્રવેશ સામે રક્ષણ પૂરું પાડે છે તથા તે કૉંક્રીટની વ્યાપક કામગીરીઓ માટે અનુકૂળ છે.

 

6. એડમિક્સચર વૉટરપ્રૂફિંગ



એડમિક્સચર વૉટરપ્રૂફિંગ એ એક એવી પ્રક્રિયા છે, જે ભેદ્યતાને ઘટાડવા માટે કૉંક્રીટમાં વિવિધ પ્રકારના સંયોજનોને ઉમેરે છે, જેના પરિણામે પાણી સામેનો પ્રતિરોધ વધે છે. માળખાંના એકંદર ટકાઉપણા અને લાંબી આવરદાને સુધારવા માટે મિશ્રણની પ્રક્રિયા દરમિયાન નવા કૉંક્રીટની સાથે એડમિક્સચર્સને ઉપયોગમાં લઈ શકાય છે. આ પદ્ધતિ ખાસ કરીને મોટા પાયે હાથ ધરવામાં આવતાં પ્રોજેક્ટ માટે લાભદાયી છે, જેમાં સમગ્ર કૉંક્રીટમાં સતત વૉટરપ્રૂફિંગ કરવામાં આવે તેની ખાતરી કરવાનું ખૂબ જ જરૂરી હોય.

 

 

સીમેન્ટ વૉટરપ્રૂફિંગના ફાયદા

પાણી પ્રવેશવાથી થતી હાનિકારક અસરો સામે માળખાંની સુરક્ષા કરવાની વાત આવે ત્યારે સીમેન્ટ વૉટરપ્રૂફિંગ અનેકવિધ ફાયદા પૂરાં પાડે છે. તો ચાલો, તેના કેટલાક ફાયદા જાણીએ, જે તેને એક ચતુરાઈભર્યું રોકાણ બનાવે છેઃ

 

1. ટકાઉપણું વધારે છે

વૉટરપ્રૂફિંગ માળખાંના ટકાઉપણાંમાં નોંધપાત્ર વધારો કરે છે. પાણીની સામે સંરક્ષણાત્મક અવરોધની રચના કરીને તે કૉંક્રીટ અને ચણતરકામને ભેજને કારણે થતાં નુકસાનથી બચાવે છે. તેનાથી માળખાંની આવરદા વધી જાય છે, વારંવાર સમારકામ અને રીપ્લેસમેન્ટ કરાવવાની જરૂરિયાત ઘટી જાય છે.

 

2. સમારકામનો ખર્ચો ઘટાડે છે

વૉટરપ્રૂફિંગ કરીને પાણી થતાં નુકસાનને વહેલીતકે અટકાવવાથી લાંબાગાળે તમારે ભોગવવા પડતાં ખર્ચાઓને ટાળી શકાય છે. પાણી અંદર પ્રવેશવાથી માળખાંમાં તિરાડો પડી શકે છે, ધોવાણ થાય છે અને માળખાંને અન્ય પ્રકારનું નુકસાન પહોંચી શકે છે, જેનું સમારકામ કરાવવું પડે છે. તે એક સંરક્ષણાત્મક પગલાં તરીકે કામ કરે છે, ભવિષ્યમાં મોટા સમારકામ કરાવવાની જરૂરિયાતને ઘટાડી દે છે.

 

3. ખવાણને અટકાવે છે

માળખાંની અંદર પાણી પ્રવેશવાથી કૉંક્રીટમાં રહેલા રીએન્ફોર્સમેન્ટ સ્ટીલ ખવાઈ જાય છે, જેના લીધે માળખાંની અખંડિતતા જોખમાઈ જાય છે. તે પાણીને સ્ટીલના સંપર્કમાં આવતું અટકાવીને ખવાણના જોખમને અસરકારક રીતે ઘટાડે છે અને આ રીતે તે સામગ્રીની માળખાકીય મજબૂતાઈને જાળવી રાખે છે.

 

4. ઝમણ થતું અટકાવે છે

બાંધકામમાં જોવા મળતી સર્વસામાન્ય સમસ્યા એટલે દિવાલો અને ફ્લોરમાં પાણી ઝામવું. તે અભેદ્ય અવરોધની રચના કરીને અસરકારક રીતે પાણી ઝામતું અટકાવે છે. તેની આ ખાસિયત ખાસ કરીને ભારે વરસાદનું જોખમ ધરાવતા વિસ્તારોમાં ખૂબ જ લાભદાયી સાબિત થાય છે, જે ઘરની અંદરના ભાગોને શુષ્ક અને સલામત રાખે છે.

 

5. ભેજને નિવારે છે

દિવાલમાં ભેજ આવવાથી ધબ્બા પડી જાય છે અને રંગ ઉખડી જાય છે પરંતુ તેની સાથે-સાથે ભેજનો વિકાસ થવાથી આરોગ્ય પણ જોખમાય છે. યોગ્ય રીતે સીમેન્ટ વૉટરપ્રૂફિંગ કરવાથી, ખાસ કરીને દિવાલોમાં ભેજ આવવાને નિવારનારા ક્રીસ્ટેલાઇન એડમિક્સચર્સ જેવી ટેકનિકનો ઉપયોગ કરવાથી શુષ્ક અને આરોગ્યપ્રદ વાતાવરણની ખાતરી કરી શકાય છે.



આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, સીમેન્ટ વૉટરપ્રૂફિંગ પાણીથી થતાં નુકસાન સિવાય પણ બીજા ઘણાં ફાયદા પૂરાં પાડે છે. તેના માટે શરૂઆતમાં સાવ નજીવું રોકાણ કરવું પડે છે પરંતુ તે તમારા માળખાંને સાચવીને, ખર્ચાળ સમારકામને ટાળીને અને માળખાંની આવરદા વધારીને લાંબાગાળે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. આથી, તમારા માળખાંની ચોક્કસ જરૂરિયાત પર આધાર રાખીને અહીં ઉપર ચર્ચવામાં આવેલી વૉટરપ્રૂફિંગની યોગ્ય પદ્ધતિને પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.



વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1. સીમેન્ટ વૉટરપ્રૂફિંગ કેટલું ટકે છે?

સામાન્ય રીતે સીમેન્ટ વૉટરપ્રૂફિંગ તમે ઉપયોગમાં લીધેલા વૉટરપ્રૂફિંગના પ્રકાર અને તમારી એકંદર જાળવણી કેવી છે, તેના પર આધાર રાખીને 5થી 10 વર્ષ સુધી ટકે છે. જોકે, પર્યાવરણની સ્થિતિ અને તેને લગાવવાની ગુણવત્તા પર આધાર રાખીને આ સમયગાળો અલગ-અલગ હોઈ શકે છે.

 

2. શું સીમેન્ટ વૉટરપ્રૂફિંગ પ્લાસ્ટરિંગ પહેલાં કરવામાં આવે છે?

હા. સામાન્ય રીતે સીમેન્ટ વૉટરપ્રૂફિંગ પ્લાસ્ટરિંગ પહેલાં કરવામાં આવે છે. વૉટરપ્રૂફિંગ લેયર પાણી ઝામવા સામે અવરોધ તરીકે કામ કરે છે, જે તેને પ્લાસ્ટરના લેયર સુધી પહોંચતું અટકાવે છે.

 

3. સીમેન્ટ વૉટરપ્રૂફિંગને સૂકાતા કેટલો સમય લાગે છે?

સીમેન્ટ વૉટરપ્રૂફિંગને સૂકાવામાં લાગતો સમય તમે ઉપયોગમાં લીધેલી વૉટરપ્રૂફિંગની સામગ્રી અને પર્યાવરણીય પરિબળો પર આધાર રાખીને અલગ-અલગ હોઈ શકે છે. જોકે, સામાન્ય રીતે તેને સંપૂર્ણપણે સૂકાવામાં 24થી 48 કલાક જેટલો સમય લાગે છે.

 

4. વૉટરપ્રૂફિંગ માટે કયા ગ્રેડના સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે?

વૉટરપ્રૂફિંગ માટે ઉપયોગમાં લેવાતો સીમેન્ટ સામાન્ય રીતે 43 કે 53 ગ્રેડનો ઓપીસી (ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ) કે પીપીસી (પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ) હોય છે.

 

5. શું સીમેન્ટ વૉટરપ્રૂફિંગનો ઉપયોગ છત માટે થઈ શકે?

હા, સીમેન્ટ વૉટરપ્રૂફિંગ છત માટે ઉપયોગમાં લઈ શકાય. જોકે, કયા ચોક્કસ પ્રકારના વૉટરપ્રૂફિંગનો ઉપયોગ કરવો તેનો આધાર છતમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અને માળખાં પર આધારિત છે. છત માટે સામાન્ય રીતે બિટ્યુમિનસ મેમ્બ્રેન વૉટરપ્રૂફિંગ અને લિક્વિડ વૉટરપ્રૂફિંગ મેમ્બ્રેન્સ ઉપયોગમાં લેવામાં આવે છે.


સંબંધિત લેખો





ભલામણ કરેલ વિડિઓઝ




મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....