તમારા ઘરને વૉટરપ્રૂફ કરવા માટે તમારે એ વાતની ખાતરી કરવી જોઇએ કે ધાબુ, દિવાલો અને બારીઓ સીલબંધ હોય અને કોઇપણ બાજુએથી પાણી અંદર દાખલ થઈ શકે નહીં. જો વૉટરપ્રૂફિંગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો, તમારા ઘરમાં ભેજ આવી શકે છે અને તે ખૂબ જ ઝડપથી તમારા ઘરની મજબૂતાઈ સામે મોટું જોખમ બની શકે છે. તો ચાલો, બાંધકામ દરમિયાન થતી વૉટરપ્રૂફિંગની કેટલીક સર્વસામાન્ય ભૂલોને સમજીએ.
સમય જતા તમારા ઘરની ટાઇલ્સ ઢીલી પડવાની અને તેમાં તિરાડ થવાની શરૂઆત થાય છે. આ ટાઇલ્સને દિવાલ કે ફ્લોર્સ સાથે જોડીને રાખતા મોર્ટાર કે સિમેન્ટ નબળો પડ્યો હોવાનો સંકેત છે.
તમારા ઘર બનાવવાની સફરમાં સૌથી વધુ રોમાંચક પગલાં તમારા ઘર માટે રંગોની પસંદગી. તમે પસંદ કરેલા રંગો મોટાભાગે તમારા ઘરની વિઝ્યુઅલ અપીલ નક્કી કરશે. અને ઘણા પરિબળો છે જે બાહ્ય ઘરના પેઇન્ટ રંગોની પસંદગી અને સમજને અસર કરે છે. તેથી અમે તમને ધ્યાનમાં રાખવા માટે કેટલીક ટીપ્સ આપીએ છીએ, જેથી તમે તમારા રંગો બરાબર મેળવી શકો.
પ્લમ્બિંગ એ તમારા ઘરનું એક મહત્વનું પાસું છે, કારણ કે, તે તમારા રસોડા, બાથરૂમ, લૉન વગેરેમાં પાણીનું સ્થિર રીતે સર્ક્યુલેશન થાય તેની ખાતરી કરે છે. યોગ્ય, ટકાઉ પ્લમ્બિંગ સિસ્ટમની ખાતરી કરવા માટે આયોજનના તબક્કાથી જ વધારાની કાળજી લેવી જરૂરી છે.
ભોયતળિયું (ફ્લોર) એ તમારા ઘરના આંતરિક ભાગનો આવશ્યક વિભાગ છે. અહીં કેટલીક ટીપ્સ આપી છે જે તમારૂ ફ્લોરિંગ યોગ્ય થવામાં મદદ કરશે.
ઘરનો પાયો નાખતા પહેલા પ્લોટમાં ખોદકામ કરવામાં આવે છે. પાયો તમારા ઘરના માળખાનું વજન પાયાની નીચેની મજબૂત માટીમાં તબદીલ (ટ્રાન્સફર) કરે છે. જો ખોદકામનું કામ યોગ્ય રીતે કરવામાં ન આવે, તો પછી પાયો નબળો પડે છે, જે દિવાલો અને થાંભલાઓમાં તિરાડો લાવી શકે છે.
તમારા ઘરના દરવાજા અને બારીઓ તેની સમગ્રતયા રચના માટેનો છેવટનો ઓપ સ્પર્શ છે. એકવાર તમે આ તબક્કે પહોંચ્યા પછી, તમારું ઘર બનાવવાનું લગભગ પૂર્ણ થઈ ગયું છે
ભૂગર્ભ જળ તમારા ઘર માટે પાણીનો એક પ્રાકૃતિક સ્રોત છે. જો કે, આ સ્રોતનો વધુ પડતો ઉપયોગ સમય જતાં તેને ખતમ કરી શકે છે. ભૂગર્ભજળને ફરીથી ભરવા માટેની સૌથી સહેલી પદ્ધતિ એ છે કે વરસાદી પાણીના વહેણનો સંગ્રહ કરવો, અને આ કરવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે રીચાર્જ ખાડો બનાવીને સંગ્રહ.
તમારા ઘરના નિર્માણ દરમિયાન અંતિમ તબક્કાઓમાંનો એક પેઇન્ટિંગ તબક્કો છે. તમે પસંદ કરેલો પેઇન્ટ તમારા ઘરને સુંદરતા અને સૌંદર્ય બક્ષશે. જ્યારે પેકે ઇન્ટ બદલી અને ફરીથી લાગુ કરી શકાય છે, પરંતુ તેમાં સમય અને નાણાં ખર્ચ થશે; તેથી જ તે તેને પ્રથમ વખત જ યોગ્ય રીતે લગાવવામાં જ શાણપણ છે.
તમારા પ્રશ્નોના જવાબ મેળવો