Stages of Building New Home Stages of Building New Home

વોટરપ્રૂફિંગ શું છે, તેનું મહત્વ, પ્રકાર અને પગલાં સામેલ છે

તમારું ઘર તમારા અને તમારા પરિવાર માટે એક આશ્રય જ નહીં પરંતુ તેના કરતાં કૈંક વિશેષ છે. તે તમારું સલામત આશ્રયસ્થાન છે. તે આરામદાયક સગવડ તરીકે કામ કરે છે અને કુદરતી તત્વોથી તમારું રક્ષણ કરે છે. તે કારણે જ, તમે મકાન બનાવવા માટે પુષ્કળ સમય, પૈસા અને શક્તિનું રોકાણ કરો છો જે આવનારી અનેક પેઢીઓ સુધી ટકી શકે.

અને તમે અત્યંત કાળજીપૂર્વક અને ધ્યાન આપીને બનાવો છો તેમાં ભેજ અથવા છત (સ્લેબ)માં સ્ત્રાવ દ્વારા અવરોધ ન થવો જોઈએ. કારણ કે આ તમારા ઘરના ટકાઉપણું પર ગંભીર અસર કરે છે, અને તેની એકંદર મજબૂતી માટે જોખમ ઊભું કરી શકે છે.
ભેજ શા માટે થાય છે?
ભેજ શા માટે થાય છે?

ભેજ થવા માટે કોઈ એક પણ કારણ નથી હોતું, પરંતુ સાવચેતીમાં એક પણ કસૂરથી તે થઈ શકે છે , અને તમારા મકાનના માળખાની મજબૂતાઈ સામે જોખમ ઊભું કરે છે. ભેજ માટેના કેટલાક મુખ્ય કારણો અહી આપેલ છે:

1
નબળું હવા વાહન (વેન્ટિલેશન)
2
રૂમમાં અપૂરતી ગરમી
3
દિવાલોનું નબળું ઇન્સ્યુલેશન
4
ભીના કપડાં જેવા જળ સ્ત્રોતો,
છોડવાઓ, રસોઈકામ અને બાથરૂમ
5
વરસાદનું પાણી
તિરાડવાળી દિવાલો, સ્ત્રાવવાળી છત અને બારીઓ
6
મારફત દાખલ થવું
ઉપર આવતા ભેજ તરીકે પણ ઓળખાતી દીવાલો અને તળિયામાથી આવતી ભીનાશ
 
છત (સ્લેબ) સ્ત્રાવ શું છે?

છત સ્ત્રાવ ત્યારે થાય છે જ્યારે અયોગ્ય ઢાળ અથવા વરસાદના પાણીના પાઈપો ભરાઈ જવાને કારણે છત પર વરસાદનું પાણી એકઠું થાય છે. નબળી ગુણવત્તાવાળું કોંક્રિટ આ સમસ્યામાં વધુ ઉમેરો કરે છે. સમય જતાં, આ સ્થિર પાણી કોંક્રિટમાં પ્રવેશ કરે છે, જેનાથી અંદર નાખેલ સ્ટીલમાં કાટ ચઢે છે અને અંદર ભીનાશમાં પરિણમે છે. પરિણામે, આનાથી કોંક્રિટનું વિઘટન થશે. આ સમસ્યાથી બચવા માટે, સ્લેબ નાખતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ અને વરસાદના પાણીના પાઈપો દ્વારા પાણીનો પ્રવાહ સુગમ થાય તે માટે પૂરતો ઢાળ જાળવવો જોઈએ. છત સ્ત્રાવ (સ્લેબ લિક) કોઈપણ ઘરમાં થઈ શકે છે, તેથી જ તમારા ઘરને જળ-પ્રતિરોધક બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વોટરપ્રૂફિંગ શું છે અને તે
શા માટે અગત્યનું છે?
વોટરપ્રૂફિંગ શું છે અને તે
શા માટે અગત્યનું છે?

લાંબા ગાળે તમારા ઘરને પાણીના ઝમણ (સિપેજ) થી બચાવવા માટેનો ઉત્તમ ઉપાય એ વોટરપ્રૂફિંગ છે. કોંક્રિટ વોટરપ્રૂફિંગમાં કોંક્રિટને વોટરપ્રૂફિંગ સામગ્રી (મટીરીયલ્સ) થી આવરણ (કોટિંગ) કરવામાં આવે છે જે પાણી અને ભેજને દિવાલો, છત, ફ્લોર વગેરેમાંથી ઝમતા રોકે છે. વોટરપ્રૂફિંગ કેમ મહત્વનું છે તે સમજવા માટે, ચાલો જોઈએ કે પાણીનું ઝમવું ખરેખર અનિચ્છનીય કેમ છે:

પાણીના સીપેજ ફક્ત ઉપરછલ્લી (કોસ્મેટિક) સમસ્યા નથી. જો તેને રોકવામાં ન આવે તો તે દિવાલો પર ફૂગનું કારણ બની શકે છે, જે તમારા પરિવારના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
ઉપરાંત, જો પાણી વિદ્યુત તાર સુધી પહોંચી જાય તો તે શોર્ટ સર્કિટ અને આગનું કારણ બની શકે છે. ભેજ તમારા અંગત સામાન અને કિંમતી ચીજોનો નાશ પણ કરી શકે છે.
સૌથી ખરાબ સ્થિતિમાં, પાણીના ઝમણથી દિવાલોમાં સાદો થવો, અથવા પાયો અંદર ઉતરી જવા જેવું ગંભીર માળખાકીય નુકસાન થઈ શકે છે. અને નુકસાનને સુધારવું એક કંટાળાજનક અને ખર્ચાળ બાબત છે.
 

એટલા માટે જ તમારા ઘરને, શરૂઆતથી જ,
ઝમણ સામે સુરક્ષિત કરવું ઉત્તમ છે.

વોટરપૃફિંગ ક્યાં કરવું જોઈએ?
વોટરપૃફિંગ ક્યાં કરવું જોઈએ?

કોંક્રિટ વોટર પ્રૂફિંગ તમારા ઘરના તેવા વિસ્તારોમાં નિર્ણાયક છે જે પૂરથી ભરાઈ જવાની શક્યતા ધરાવતા હોય અથવા વારંવાર પાણીના સંપર્કમાં આવતા હોય. આમાં બાથરૂમ અને રસોડું અથવા એવા વિસ્તારો જે વાતાવરણ સામે ખુલ્લા હોય જેમ કે છત, બાલ્કની, બાહ્ય દિવાલો, ભોંયરાઓ અને જ્યાં પાણી સંગ્રહિત કર્વમાં આવતું હોય તેનો સમાવેશ થાય છે.

વોટરપૃફિંગ ઉકેલોના પ્રકારો

આજે ઘણા પ્રકારના વોટરપ્રૂફિંગ ઉકેલો (સોલ્યુશન્સ) ઉપલબ્ધ છે. તમારા ઘર માટે શ્રેષ્ઠ ઉપાય શોધવા માટે તમારા વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કરો.
એક લોકપ્રિય ઉપાય અલ્ટ્રાટેક સીલ અને ડ્રાય છે - તમારા ઘરના જુદા જુદા વિસ્તારો માટે ખાસ બનાવેલા વોટર પ્રૂફિંગ એજન્ટોની શ્રેણી. તે પ્લાસ્ટર, સિમેન્ટ-રેતી મિશ્રણ (મોર્ટાર) અને કોંક્રિટના પાણી પ્રતિરોધક ગુણધર્મોને સુધારવા માટે અને તે રીતે તમારા ઘરને વધુ સારું બનાવવા માટે રચવામાં આવેલ છે. ચાલો તમારા બિલ્ડિંગમાં ભીનાશ અટકાવવા માટેની કેટલીક રીતો જોઈએ:

1
મેબ્રેન ડેમ્પ પૃફિંગ
તે ભેજ-પ્રૂફ આવરણ પૂરું પાડે છે અને સસ્તો વિકલ્પ છે. તે લગાવવું પણ ખરેખર સરળ છે.
2
સપાટીની સારવાર
આ ઉકેલમાં બાહ્ય સપાટીને જળ-જીવાત અવરોધક સામગ્રીથી સારવાર કરવાનું સામેલ છે.
3
પોલાણવાળી દીવાસ સાથેનું બાંધકામ
મતલબ કે તમે તમારા ઘરમાં પાણી ભરાઈ જતું અટકાવવા માટે પોલાણ બનાવો છો. આ એક વધારાની બાહ્ય દિવાલ બનાવીને કરવામાં આવે છે.

વોટરપૃફિંગ પ્રક્રિયામાં
સામેલ પગલાંઓ

1
એકવાર તમે તમારું વોટરપ્રૂફિંગ એજન્ટ પસંદ કરી લો, પછી તમારા ઘરની દિવાલોને લીસી કરવા માટે ગ્રાઇન્ડીંગ કરવામાં આવે છે.
2
જળ પ્રતિરોધક અવરોધમાં કોઈ ખાલી જગ્યા નથી તે સુનિશ્ચિત કરવા માટે કોઈપણ તિરાડો કોંક્રિટ પેચોથી ભરવામાં આવે છે.
3
દિવાલોને સારી રીતે સાફ કરવામાં આવે છે જેથી વોટરપ્રૂફિંગ એજન્ટ કોંક્રિટ સાથે સારી રીતે બંધાય જાય.
4
દિવાલો પર વોટરપ્રૂફિંગનું આવરણ (કોટ) લગાવવામાં આવે છે?

દિવાલો પર વોટરપ્રૂફિંગનું આવરણ (કોટ) લગાવવામાં આવે છે?

દિવાલોમાં કાટ અને સડાને અટકાવીને વોટરપ્રૂફિંગ તમારી માળખાનું ટકાઉપણું વધારે છે. તે ફૂગના વિકાસને પણ અટકાવે છે જે એલર્જી અથવા દમના કારણોને ટાળવામાં મદદ કરે છે. ઉપરાંત, તે પાણીના નુકસાનને કારણે વ્યાપક સમારકામ પર બચત કરવામાં મદદ કરે છે, અને તમારી મિલકતનું મૂલ્ય જાળવવામાં મદદ કરી શકે છે.

ઘરના નિર્માણ અંગેની આવી વધુ ટીપ્સ માટે, અલ્ટ્રાટેક સિમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા #વાત ઘરની છે પર જાઓ

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો