વૉટરપ્રૂફિંગમાં થતી સર્વસામાન્ય ભૂલો

તમારા ઘરને વૉટરપ્રૂફ કરવા માટે તમારે એ વાતની ખાતરી કરવી જોઇએ કે ધાબુ, દિવાલો અને બારીઓ સીલબંધ હોય અને કોઇપણ બાજુએથી પાણી અંદર દાખલ થઈ શકે નહીં. જો વૉટરપ્રૂફિંગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો, તમારા ઘરમાં ભેજ આવી શકે છે અને તે ખૂબ જ ઝડપથી તમારા ઘરની મજબૂતાઈ સામે મોટું જોખમ બની શકે છે. તો ચાલો, બાંધકામ દરમિયાન થતી વૉટરપ્રૂફિંગની કેટલીક સર્વસામાન્ય ભૂલોને સમજીએ.

1

 

પાણીથી થતાં નુકસાનને અવગણવું

 

1
 

પાણીથી થતાં નુકસાનને અવગણવું

- જો પાણી ભરાયેલું રહે અને દુર્ગંધ મારવા લાગે તો ઘરમાં ગળતર થવા લાગે છે

- આ ગળતર પાઇપમાંથી અથવા તો બારી અને દિવાલોની વચ્ચે રહેલા ગેપમાંથી થઈ શકે છે

- ગળતરને અવગણવું એ ઘરમાં ભેજને આમંત્રણ આપવા જેવું છે

2

 

ખોટો ઢાળ

 

2
 

ખોટો ઢાળ

- જો જમીનનો ઢાળ તમારા ઘરના પાયા તરફ હોય તો, પાણી તેની આસપાસ ભરાયેલું રહેશે.

- તે જ રીતે, જો ધાબા પર ઢાળ યોગ્ય રીતે નહીં બનાવવામાં આવ્યો હોય તો પાણી ત્યાંથી વહી શકશે નહીં

- તેનાથી પાણી ભરાઈ રહેશે અને ભેજ આવી શકે છે

3

 

પ્લાસ્ટર અને સીલિંગ પેસ્ટનો ઉપયોગ

 

3
 

પ્લાસ્ટર અને સીલિંગ પેસ્ટનો ઉપયોગ

- ભેજ આપણાં ઘરમાં તિરાડો અને પ્લાસ્ટરમાંથી પ્રવેશે છે. તેને અટકાવવા માટે લોકો ઘણીવાર સીલિંગ પેસ્ટનો ઉપયોગ કરતાં હોય છે.

- જોકે આ લાંબા સમય સુધી ટકતો ઉપાય નથી, કારણ કે, ભેજ પાછો આવી જ જાય છે

- હંમેશા અનુભવી નિષ્ણાતો પાસે તમારા ઘરને વૉટરપ્રૂફ કરાવો, વૉટરપ્રૂફિંગના શ્રેષ્ઠ ઉત્પાદનો પસંદ કરો અને યોગ્ય આયોજન કરો

આ હતી કેટલીક મહત્વની વાતો, જેને તમારા ઘરને વૉટરપ્રૂફ કરાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી છે.

ઘરનું નિર્માણ કરવાના વધુ નિષ્ણાત ઉપાયો અને સૂચનો માટે #વાત ઘરની છે ને ફૉલો કરતાં રહો, અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત.

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય નામ દાખલ કરો
માન્ય નંબર દાખલ કરો
માન્ય પિનકોડ દાખલ કરો
માન્ય શ્રેણી પસંદ કરો
માન્ય ઉપ શ્રેણી દાખલ કરો

આ ફોર્મ સબમિટ કરીને તમે અલ્ટ્રાટેક સિમેન્ટને તમારો સંપર્ક કરવાની અધિકૃતતા આપો છો.

આગળ વધવા કૃપા કરીને આ બોક્સ પર ટીક કરો