સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


ટાઇલ ઉખડી જવાના 8 કારણો અને તેનું નિવારણ

ટાઇલ ઉખડી જવા એ ઘણાં ઘરોમાં જોવા મળતી સર્વસામાન્ય સમસ્યા છે પણ આમ થાય તે જરૂરી નથી. આ માહિતીપ્રદ બ્લૉગમાં ટાઇલ ઉખડી જવાના આઠ પ્રકારો અંગે તમારે જાણવા જેવું બધું જ આવરી લેવામાં આવ્યું છે અને તેમાં ખર્ચાળ સમારકામોને ટાળવાના વ્યવહારુ ઉકેલો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પણ પૂરાં પાડવામાં આવ્યાં છે.

Share:


ટાઇલ ઉખડી જવા એટલે શું?

મોટાભાગના ઘરોમાં આરસપહાણ કે કૉંક્રીટના ફ્લોરિંગને બદલે આકર્ષક દેખાતા ફ્લોર ટાઇલ્સ લગાવવામાં આવતાં હોય છે. જોકે, ટાઇલ લગાવતી વખતે યોગ્ય કાળજી લેવામાં ના આવે તો તે ઉખડી જાય છે, તૂટી જાય કે વળી જાય છે, જેના પરિણામે ફ્લોર અસમતળ થઈ જાય છે. આ ખામીને ટાઇલ ઉખડી જવાનું કહેવામાં આવે છે.

 

શરૂઆતમાં ટાઇલ્સ ચમકદાર અને આકર્ષક લાગતા હોય છે, તેમને આકર્ષક બનાવવા માટે તેની પર કોઈ પ્રક્રિયા હાથ ધરવી પડતી નથી કે તેને પૉલિશ પણ કરાવવા પડતાં નથી. જોકે, ફ્લોર ટાઇલ્સ ઉખડી જવા એ એક અકળાવનારી અને ચિંતાજનક સમસ્યા છે.

cdxc


‘શું તેનાથી મારા ઘરને આકર્ષક અને સુંદર દેખાવ પ્રાપ્ત થશે?’

 

આ સંભવિતપણે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોમાંથી એક છે, જેનો ઉત્તર પોતાનું ઘર બાંધવા જઈ રહેલી દરેક વ્યક્તિ મેળવવા માંગતી હોય છે. છતની સ્ટાઇલ અને બારીઓથી માંડીને દિવાલના ટેક્સચરો અને ફ્લોરિંગ સુધી માળખાંના દરેક પાસાંની રચના અંતિમ પરિણામને જોઇને સૌની આંખો ઠરે તેની ખાતરી કરવા માટે કરવામાં આવતી હોય છે.

 

જોકે, ઘણીવાર લોકો ઘરના આકર્ષક દેખાવ સિવાય આ પ્રક્રિયા દરમિયાન ધ્યાન પર લેવાના અન્ય મહત્વના પરિબળો પર ધ્યાન આપવાનું ભૂલી જતાં હોય છે. ઉદાહરણ તરીકે, ટાઇલને લગાવતી વખતે યોગ્ય કાળજી લેવી પડે છે અને તેના ટકાઉપણાની ખાતરી કરવા માટે પૂરતું ધ્યાન આપવું પડે છે.

 

ટાઇલ લગાવવાની અને ઉત્પાદનના ઉપયોગની યોગ્ય પદ્ધતિને પ્રાથમિકતા ના આપવી તથા ટાઇલને લગાવતી વખતે અને તેને લગાવ્યાં પછી પૂરતી કાળજી નહીં લેવાથી ટાઇલમાં ખામીઓ સર્જાઈ શકે છે. આ ખામીઓમાં ટાઇલ ઉખડી જવા એ સૌથી સામાન્ય ખામી છે.


ટાઇલ ઉખડી જવા પાછળના કારણો

અચાનક જ ટાઇલ ઉખડી કે નીકળી જવાથી તે ઘરમાં રહેતા લોકોના આરોગ્ય પર મોટું જોખમ પેદા થઈ શકે છે. આથી, ટાઇલ્સ ઉખડી જવા માટે જવાબદાર સંભવિત કારણોને સમજી લેવાની સલાહ આપવામાં આવે છેઃ

 

1. અયોગ્ય સફાઈ



 

તમે ફ્લોર ટાઇલ્સને લગાવો તે પહેલાં આ ટાઇલ્સ અને તેને જ્યાં લગાવવાના છે, તે જગ્યાને ચોખ્ખા કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આમ નહીં કરવાથી તમારે ટાઇલ્સ વળી જવાની અને ઉખડી જવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે ફ્લોરની અયોગ્ય રીતે સફાઈ કરવાથી લેયરની સાથે તેનું એકસમાન રીતે જોડાણ થઈ શકતું નથી.

 

2. અસમાન રીતે લગાવેલી ટાઇલ



 

ટાઇલ્સ જો મોટા કદના હોય તો ટ્રોવેલિંગની એક ચોક્કસ ટેકનિકનો ઉપયોગ કરવો જોઇએ. ટાઇલ્સ ટાઇલ એડહેસિવની સાથે મજબૂત રીતે જોડાઈ જાય તેની ખાતરી કરવા માટે આમ કરવામાં આવે છે. તમારે કોઈ લાકડાંની વસ્તુ વડે ટાઇલને હળવા હાથે ઠપકારીને પણ દબાવવી જોઇએ.

 

આ નિશ્ચિત પ્રક્રિયાનું પાલન નહીં કરવાથી ટાઇલ અસમતળ બેસે છે, જેના કારણે ટાઇલ ઉખડી જવાની શક્યતા વધી જાય છે.

 

3. ફ્લોરનું વિસ્તરણ


 

ટાઇલ્સ ભેદ્ય હોય છે, તેની અંદર વિવિધ પ્રકારની સામગ્રી અને પ્રવાહીઓ પ્રવેશી શકે છે, આથી ખૂબ વધારે પ્રમાણમાં ભેજને અવશોષી લેવાને કારણે તે ફૂલી જઈ શકે છે. તેના કારણે સપાટી ફેલાય છે અને તેના કારણે દબાણ લાગવાને લીધે ટાઇલ્સ ઉખડી જાય છે.

 

4. ખરાબ ગુણવત્તાના બોન્ડિંગ એજન્ટનો ઉપયોગ કરવો



 

ટાઇલ લગાવવા માટે બોન્ડિંગ એજન્ટની પસંદગી કરતી વખતે ગુણવત્તા એ ધ્યાનમાં રાખવાનું એક મહત્વનું પરિબળ છે. જો ખરાબ ગુણવત્તાના બોન્ડિંગ એજન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો, ટાઇલ તેની નીચે પાથરવામાં આવેલા પદાર્થની સાથે મજબૂત અને સજ્જડ જોડાણ કરી શકશે નહીં.

 

તાપમાન, ભેજમાં ફેરફાર જેવી પર્યાવરણીય સ્થિતિઓમાં ફેરફાર આવવાથી ટાઇલની સાથે બોન્ડિંગ એજન્ટની પકડ ઢીલી પડી જશે, જેના કારણે તેમાં ખામી સર્જાશે અથવા તો ટાઇલ નીકળી જશે.

 

5. ખરાબ ગુણવત્તાના ટાઇલ એડહેસિવનો ઉપયોગ કરવો



 

ઉચ્ચ-ગુણવત્તાના ટાઇલ એડહેસિવનો ઉપયોગ કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે ફ્લોર પર સીધો તડકો આવતો હોય ત્યારે. જો એડહેસિવનો સહેજપણ ઉપયોગ જ ના થયો હોય કે ખરાબ ગુણવત્તાનું એડહેસિવ ઉપયોગમાં લેવામાં આવ્યું હોય તો, તડકાને કારણે ફ્લોર વિસ્તરશે અને તેના પરિણામે દબાણને કારણે ટાઇલ ઉખડી જશે.

 

6. જૂના ટાઇલ્સ



જૂના ટાઇલ્સે તેમની સ્થિતિસ્થાપકતા અને તાપમાનમાં આવતાં ફેરફારો સામે ટકી રહેવાની તેની ક્ષમતા ગુમાવી દીધી હોવાથી તે બરડ થઈ ગયાં હોય છે. આવા ટાઇલ્સનો ઉપયોગ કરવાથી ટાઇલ ઉખડી જવાની શક્યતા વધી જાય છે.

 

7. ટાઇલ વળી જવા

ક્યારેક ઉત્પાદન દરમિયાન જ ટાઇલ વળી જતાં હોય છે. આવા ટાઇલ્સનો ઉપયોગ કરવાથી ખામી સર્જાવાની કે ટાઇલ ઉખડી જવાની સંભાવનાઓ વધી જતી હોય છે.

 

8. અસમતળ સબફ્લોર

જો સબફ્લોર અસમતળ હોય તો, તે એડહેસિવ કે મોર્ટારની સાથે મજબૂત અને એકસમાન જોડાણ કરી શકશે નહીં. તેના કારણે તમારા ઘરનો ફ્લોર અસમતળ અને ખરાબ દેખાશે.


 

ફ્લોર ટાઇલ ઉખડી જવાની સમસ્યાને કેવી રીતે નિવારી શકાય?



જો તમે હાલમાં જ નવા ઘરમાં રહેવા માટે આવ્યાં હો તો, તમારે સૌપ્રથમ તો આખો વિસ્તાર તપાસી લેવો જોઇએ કે તેમાંથી કોઈ ખામી તો નથી ને. તેનાથી તમને ઝડપથી કાર્યવાહી કરવામાં અને શક્ય એટલી વહેલીતકે સમસ્યાને ઉકેલવામાં મદદ મળી રહેશે.

 

રીનોવેશન કરતી વખતે કોન્ટ્રાક્ટર કે બિલ્ડરે ટાઇલ ઉખડી જવાની સમસ્યાને ટાળવા માટે તમામ જરૂરી પગલાં લીધાં હોય તેની ખાતરી કરો.

 

કોઈ હળવા ટૂલ વડે ટાઇલને ટપારવો એ ઘરના માલિકો માટે ટાઇલમાં કોઈ પોલી જગ્યા તો નથી તે જાણવાની એક સારી પદ્ધતિ છે. જો તમને આવો કોઈ ટાઇલ મળી આવે તો, આ સમસ્યાને નિવારવાનો સૌથી સરળ રસ્તો કેટલીક ટાઇલને એડહેસિવ વડે ફરીથી ચોંટાડી દેવાની છે.

 

જો ટાઇલ ઉખડી જાય તો, અહીં નીચે જણાવેલા પગલાં લઈ શકાયઃ

 

  • જ્યાં સુધી તે ઉખડવાનું બંધ ના થાય ત્યાં સુધી દૂર હટી જાઓ.
 
  • તે એકવાર બંધ થઈ જાય તે પછી તૂટી ગયેલા કે તિરાડ પડી ગયેલા ટાઇલ્સને ફેંકી દો.
 
  • ખામીયુક્ત સપાટીની ઉપર કાર્ડબૉર્ડની જાડી શીટ મૂકો.
 
  • સોફા કે કબાટ જેવા કોઈ ફર્નિચર વડે આ વિસ્તારને આવરી લો.

 

જો તમને આખા ફ્લોરમાં ઢીલા પડી ગયેલા ટાઇલ્સ જણાય અને આવા ઉખડી ગયેલા ટાઇલ્સને રીપેર કેવી રીતે કરવા તે અંગે તમને મૂંઝવણ થઈ રહી હોય તો, આ તમામ ટાઇલ્સને કાઢી નાંખીને ટાઇલ લગાવવાની સમગ્ર પ્રક્રિયાને ફરીથી કરવી એ જ સૌથી યોગ્ય ઉપાય છે.



ફ્લોર એ તમારા ઘરના સૌથી મહત્વના હિસ્સાઓમાંથી એક છે. અને જ્યારે તેને ટાઇલ્સ વડે સુંદર બનાવવામાં આવે છે, ત્યારે આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. ટાઇલ લગાવવાની પ્રક્રિયામાં પૂરતું ધ્યાન આપવું પડે છે અને પ્રયાસો કરવા પડે છે.

 

આથી, એવા કોન્ટ્રાક્ટરને જ કામ આપો કે જે સુંદર ટાઇલ્સ સારી રીતે ઇન્સ્ટોલ કરવામાં તમને મદદરૂપ તો થાય પણ તેની સાથે-સાથે કોઈ પણ તૂટેલા ટાઇલ્સને રીપેર કરવામાં પણ તમને મદદ કરે.



સંબંધિત લેખો





अनुशंसित वीडियो



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....