તમારા પ્રશ્નોના જવાબ મેળવો
તમે જો તમારા ઘરના રીનોવેશનની સમગ્ર પ્રક્રિયામાં યોગ્ય સીમેન્ટને પસંદ કરવાથી માંડીને કૉંક્રીટની મજબૂતાઈ સુધીની તમામ બાબતોમાં ખૂબ જ રસ લઈ રહ્યાં હો અને જો તમને ઘરનું રંગકામ જાતે કરવામાં રસ હોય તો, અમે તમને ઘરનું રંગકામ કરવા સંબંધિત કેટલાક અદભૂત સૂચનો આપી શકીશું, જે એ વાતની ખાતરી કરશે કે તમે યોગ્ય રંગને પસંદ કરી શકો અને તમારો રંગ લાંબો સમય સુધી ટકી રહે. ઘરનું રંગકામ કરવા સંબંધિત આ માર્ગદર્શિકામાં રંગકામ કરવાના સૂચનોથી માંડીને દિવાલોને રંગવાની ટેકનિક સુધીની બધી જ બાબતોને આવરી લેવામાં આવી છે. તો ચાલો શરૂ કરીએ!
જો રંગકામ કરવાના આ તમામ સૂચનોથી તમે રંગકામની સમગ્ર પ્રક્રિયા જાતે કરવા માટે પ્રેરિત થયાં હો તો અમે તમને રંગકામ શરૂ કરતાં પહેલાં આ લેખ વાંચી જવા સૂચવીએ છીએ :
https://www.ultratechcement.com/home-building-explained-single/how-to-choose-the-right-exterior-paint-colours-for-your-home
વારંવાર પૂછાયેલા પ્રશ્નો
1. શું જૂના રંગ પર સીધો જ નવો રંગ લગાવી શકાય ?
જો જૂનો રંગ અને નવો રંગ રાસાયણિક રીતે સરખો (ઉદાહરણ તરીકે, તેલ-આધારિત) હોય તો તમારે પ્રાઇમરની જરૂર પડતી નથી. જો વર્તમાન દિવાલ મુલાયમ અને સ્વચ્છ હોય, તો તમે જૂના રંગ પર સીધા જ નવા રંગનું આવરણ ચઢાવી શકો છો.
2. તમારે રંગના ઓછામાં ઓછા કેટલા આવરણ લગાવવા જોઇએ ?
આ માટેના અનુભવસિદ્ધ નિયમ મુજબ, રંગના ઓછામાં ઓછા બે આવરણ લગાવવા જોઇએ. જોકે, સામગ્રી અને દિવાલ પર લગાવેલો અગાઉનો રંગ બંને આ સંખ્યા નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, ઉદાહરણ તરીકે, ફિનિશ થયેલી ન હોય તેવી સૂકી દિવાલ પર તમારે પ્રાઇમર અને અંડરકૉટ રંગનું આવરણ પણ લગાવવું પડી શકે છે.
3. રંગકામ કરતાં પહેલાં તમે જો દિવાલ પર પ્રાઇમર ન લગાવો તો શું થશે ?
જો તમે પ્રાઇમર નથી લગાવતા તો રંગ ઉખડી જવાનું જોખમ વધારે રહે છે, ખાસ કરીને ભેજવાળી સ્થિતિમાં. આથી વિશેષ, રંગકામ કર્યાના મહિનાઓ પછી જ્યારે રંગ સૂકાઈ જાય ત્યારે જો રંગ જો દિવાલ પર ચોંટી ન રહે તો દિવાલની સફાઈ કરવાનું કામ અત્યંત કપરું બની જાય છે. જ્યારે તમે કચરો કે આંગળીઓના નિશાન દિવાલ પરથી સાફ કરવા જશો ત્યારે તેની સાથે-સાથે રંગ પણ ઉખડવા લાગશે.