તમારા પ્રશ્નોના જવાબ મેળવો
રસોડાને ઘરમાં પૂજા રૂમ પછી બીજો સૌથી પવિત્ર રૂમ ગણવામાં આવે છે, કારણ કે, અહીં માઁ અન્નપૂર્ણા, પોષણ અને આહારના દેવીનો વાસ ગણાય છે. રસોડું એ એવી જગ્યા છે, જ્યાં આપણે દરરોજ આપણું ભોજન બનાવીએ છીએ, જે ભોજન આપણને આપણા દરરોજના કાર્યો કરવાની ઊર્જા પૂરી પાડે છે, આહારની આપણી મૂળભૂત જરૂરિયાતને પૂરી કરે છે અને આપણને ચુસ્ત-દુરુસ્ત રાખે છે.
રસોડાની ગોઠવણ વાસ્તુ મુજબ યોગ્ય રીતે કરવાથી તે બીમારીઓને આમંત્રિત કરનારી નકારાત્મક ઊર્જાને દૂર રાખીને હકારાત્મક વાતાવરણની સાથે તંદુરસ્ત જીવન બક્ષે છે. જો રસોડાને વાસ્તુ મુજબ તૈયાર કરવામાં આવ્યું ન હોય તો તેનાથી આર્થિક ભારણ, બીમારીઓ, કૌટુંબિક વાદ-વિખવાદો વગેરે આવતાં હોવાનું જાણવા મળ્યું છે.
રસોડા માટેના વાસ્તુના સૂચનો મુજબ, રસોડાનો દરવાજો પશ્ચિમ અથવા તો ઉત્તર દિશા તરફ હોવો જોઇએ. તેને રસોડાના દરવાજા માટે સૌથી શુભ દિશા માનવામાં આવે છે. જો આ દિશાઓમાં દરવાજો બનાવવાનો શક્ય ન હોય તો, દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશા અંગે પણ વિચાર કરી શકાય.
અહીં ઉપર વાસ્તુને અનુરૂપ રસોડું બનાવવાના તથા પોઝિટિવ કંપનો ઉત્પન્ન કરવા તમારે જાણવા લાયક તમામ સૂચનો આપવામાં આવ્યાં છે, જેથી કરીને તમે અને તમારા તમામ પરિવારજનો ચુસ્ત-દુરુસ્ત રહી શકો.
પૂજા રૂમ એ ઘરની વધુ એક શુભ જગ્યા છે, આથી તમારા ઘરમાં શાંત અને નિર્મળ વાતાવરણની રચના કરવા માટે તેની પર સવિશેષ ધ્યાન આપવું જરૂરી છે. પૂજા રૂમ માટેના વાસ્તુ અંગે વધુ વાંચો.