તમારા પ્રશ્નોના જવાબ મેળવો
વળી, પૂજા રૂમ માટેનું વાસ્તુ તો તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ છે, કારણ કે, તે સમગ્ર ઘરની ઑરા (આભા/પ્રભામંડળ) અને વાસ્તુને નિર્ધારિત કરે છે. વાસ્તુના નિષ્ણાતો મુજબ ઘરનો પૂજા રૂમ એ પોઝિટિવ ઊર્જાનો કંપનોનું કેન્દ્ર છે અને આથી જ જ્યારે તમે ઘર બાંધી રહ્યાં હો ત્યારે પૂજા રૂમ માટેના વાસ્તુને ધ્યાનમાં રાખવું એ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
પૂજા રૂમ એ ઘરમાં પોઝિટિવ અને નિર્મળ ઊર્જાઓનું એપિસેન્ટર છે, કારણ કે, તે તમારા ઘરમાં દેવી-દેવતાની હાજરીને કારણે દૈવીશક્તિને ફેલાવે છે. પૂજા રૂમના સ્વરૂપે ફક્તને ફક્ત આવી દૈવીશક્તિ માટે એક અલાયદી જગ્યા ફાળવવી (તે કેટલી મોટી છે કે નાની તેનાથી ખાસ ફરક પડતો નથી) એ તમારા ઘર માટે ખૂબ જ મહત્વનું છે અને ઘરમાં શાંતિ, પોઝિટિવ ઊર્જા લાવવા તથા તમારા ઘરમાં કેવા પ્રકારની ઊર્જા ફેલાય છે, તે નિર્ધારિત કરવા માટે યોગ્ય વાસ્તુ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
પૂજા રૂમ ઘરમાં સારા કંપનો ફેલાવવામાં મદદરૂપ થવાની સાથે-સાથે આવી દૈવીશક્તિઓ સાથે તમારું જોડાણ કરવામાં પણ મદદરૂપ થાય છે. નકારાત્મક ઊર્જાને દૂર કરવા તથા તમારા ઘરને ખુશીઓ અને હકારાત્મકતાથી ભરી દેવા માટે વાસ્તુ ખામીરહિત હોવું જોઇએ.
અહીં નીચે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ પૂજા રૂમ માટેના યોગ્ય વાસ્તુની મદદથી તમારા ઘરને પોઝિટિવ અને દૈવી ઊર્જાનું કેન્દ્ર બનાવવામાં મદદરૂપ થવા માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યાં છે :
પૂજા રૂમ એ ખૂબ જ પવિત્ર જગ્યા છે અને વાસ્તુના સિદ્ધાંતો મુજબ તેની ગોઠવણ કરવાથી ઘર ખુશીઓથી ભરેલું રહે છે. તમારા ઘરમાં પોઝિટિવ ઊર્જાને વધારવા માટે પૂજા રૂમ માટેના આ વાસ્તુના સૂચનોનું પાલન કરો અને તમારા પવિત્ર અને ખુશહાલ ઘરમાં નકારાત્મક ઊર્જાને કોઈ સ્થાન ન હોય તેની ખાતરી કરો.
તમારા ઘરના મુખ્ય દરવાજાને યોગ્ય રીતે ગોઠવીને તમારા ઘરમાં પ્રવેશનારી ઊર્જાનું નિયમન કરો અને તમારા ઘરનું નકારાત્મક ઊર્જા સામે રક્ષણ કરો.